For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અફવાઓથી ત્રાસી ગયાં સુશાંત-અંકિતા, ટુંકમાં જ પરણી જશે

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 11 નવેમ્બર : અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અંકિતા લોખંડે સાથે તેમના સંબંધો અંગે ઉઠતી અફવાઓથી ત્રાસી ગયા છે. તેમનું કહેવું છે કે તેઓ ટુંકમાં જ લગ્ન કરી લેશે.

sushant-ankita
તાજેતરમાં આવેલા સમાચારો સાચા માનીએ, તો સુશાંત અને અંકિતા વચ્ચે એક ઝગડો થયો હતો અને તેમણે પોતાના પ્રેમીને એક તમાચો પણ માર્યો હતો. જોકે સુશાંતે તે સમાચારો ફગાવી દીધાં છે. સુશાંતે રવિવારે એક કાર્યક્રમમાં જણાવ્યું - હું એમ નથી ઇચ્છતો કે હંમેશા મારા અંગત જીવન અંગે વાર્તાઓ બનતી રહે. હું માત્ર એટલુ કહી શકું કે બધુ ઉકેલાઈ ગયું છે અને એવું કંઈ પણ થયુ નહોતું કે જેવી અફવા ફેલાઈ હતી.

છેલ્લે શુદ્ધ દેસી રોમાંસ ફિલ્મમાં પરિણીતી ચોપરા સાથે દેખાયેલા કાઇ પો છે ફૅમ સુશાંતે જણાવ્યું - અમે એ બાબતથી ખુશ ચીએ કે અમે બંને સાથે છીએ. આ સાથે જ હું એ વાત અંગે પણ ખૂબ ખુશ છું કે અમે ટુંકમાં જ લગ્ન કરી લઇશું. હાલમાં પોતાની આવનાર ફિલ્મોમાં વ્યસ્ત સુશાંતે જણાવ્યું - મારી પાસે હજી ઘણી સારી ફિલ્મો છું. હું દિબાકર બૅનર્જીની ડિકેટ્કિટ બ્યોમકેશ બખ્શી તેમજ શેખર કપૂરની પાની ફિલ્મોમાં કામ કરવા અંગે ઉત્સાહિત છું. તેમની અપેક્ષાઓ વધુ છે. તેથી મારે બહેતર કામ કરવું પડશે.

English summary
Actor Sushant Singh Rajput is tired of rumours surrounding his love life with Ankita Lokhande. He says they will tie the knot soon.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X