રેડલાઇટ એરિયાનું દર્દ છે આમિર ખાનની તલાશ
મુંબઈ, 23 ઑક્ટોબર : આમિર ખાનની બહુચર્ચિત તલાશ ફિલ્મનું પ્રમોશન હવે જોરશોરથી થવા જઈ રહ્યું છે. ફિલ્મ નવેમ્બરમાં રિલીઝ થવાની છે. ફિલ્મમાં આમિર ખાન મુંછાળા પોલીસ કર્મી બન્યાં છે કે જે કૉલગર્લ અને રેડલાઇટ એરિયાના દર્દની શોધ (તલાશ) કરે છે. આ ફિલ્મનું અડધાથી વધું શુટિંગ કમાટીપુરામાં થયું છે કે જે મુંબઈના સૌથી જુનું અને એશિયાનું બીજું મોટું રેડલાઇટ એરિયા છે.
ફિલ્મમાં આમિર ખાનના પત્નીનો રોલ ખંડાલા ગર્લ રાણી મુખર્જીએ ભજવ્યો છે. રાણીને આ ફિલ્મ પાસે ઘણી આશાઓ છે કારણ કે સતત નિષ્ફળતાઓથી પરેશાન રાણી માટે તલાશ છેલ્લી આશા છે, તો બીજી બાજુ તાજેતરમાં જ મિસ કરીના કપૂરમાંથી મિસિસ કરીના કપૂર ખાન બનેલ બેબોની આ એવી પ્રથમ ફિલ્મ છે કે જે તેના લગ્ન બાદ રિલીઝ થવાની છે.
ફિલ્મની વાર્તા એક સસ્પેંસ થ્રિલર છે. તેના અંગે હજુ કોઈ ખુલાસો કરાયો નથી. આમિરના ફૅન્સને આશા છે કે તલાશ તેમની દરેક ફિલ્મની જેમ કઈંક જુદી અને સારી હશે. હાલ આ ફિલ્મને પગલે આમિર ખાન કરીનાના લગ્નમાં પણ નહોતાં પહોંચ્યાં.
જોઇએ કે તેમની આશાઓની તલાશ લોકો લોકોની તલાશ પૂર્ણ કરે છે કે નહિં. હાલ તો રમા કાગતીએ દાવો કર્યો છે કે તલાશને લોકો લાંબા સમયથી ભુલાવી નહિં શકે.