‘#MeToo થી જો પુરુષો ડરી રહ્યા છે, તો ડરવુ પણ જોઈએ': તનુશ્રી દત્તા
તનુશ્રીએ કહ્યુ કે જો નામ જણાવીને શરમમાં મૂકાવાથી પુરુષો ડરે છે તો તેમણે ડરવુ પણ જોઈએ.
ભારતમાં '#MeToo અભિયાનની શરૂઆત કરનાર અભિનેશ્રી તનુશ્રી દત્તાએ કહ્યુ કે તેને ઈન્સાફ મળવાની આશા છે. તનુશ્રીએ કહ્યુ કે આવી બાબતોને ભારતમાં ગંભીરતાથી લેવામાં નથી આવતી પરંતુ તેમછતા તેને આશા છે કે તેને ન્યાય મળશે. નાના પાટેકર પર યૌન શોષણનો આરોપ લગાવનાર તનુશ્રીએ કહ્યુ કે જો આ બધાથી પુરુષો ડરી રહ્યા હોય તો તે સારી વાત છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ તનુશ્રીએ નાના પાટેકર પર 10 વર્ષ પહેલા તેમનું યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો. અભિનેત્રીએ કહ્યુ હતુ કે પાટેકરે 10 વર્ષ પહેલા ફિલ્મ હોર્ન ઓકે પ્લીઝના સેટ પર તેનુ યૌન શોષણ કર્યુ હતુ.

તનુશ્રીએ કહ્યુ, ‘હું એક લડાઈ લડી રહી છુ'
તનુશ્રી દત્તા-નાના પાટેકર વિવાદ પોલિસ પાસે પહોંચી ચૂક્યો છે. અભિનેત્રીને આશા છે કે તેને ઈન્સાફ જરૂર મળશે. એક કાર્યક્રમમાં બોલતા તનુશ્રીએ કહ્યુ, ‘હું આશા કરી રહી છુ કે મને ઈન્સાફ મળશે પરંતુ તે નથી ખબર કેવો ઈન્સાફ. આપણા દેશમાં યૌન શોષણના કેસોને ગંભીરતાથી લેવામાં નથી આવતા. સામેવાળાને આને ભૂલી જવાનું કહેવામાં આવે છે. આમ કરીને એક ખોટુ વાતાવરણ બનાવી રહ્યા છે. હું એક લડાઈ લડી રહી છુ.'

પોતાના બચાવ માટે તનુશ્રીએ તોડ્યુ મૌન
તનુશ્રીને ઘણી મોટી ફિલ્મી હસ્તીઓનું સમર્થન મળી રહ્યુ છે. વળી ઘણાએ આના પર મૌન જાળવી રાખ્યુ છે. હું નેશનલ ટીવી પર 10 વર્ષ સુધી રહી. મારુ ફિલ્મોમાં કેરિયર હતુ, કેરિયર ખતમ થવામાં હતુ. મારે પોતાનો બચાવ કરવાનો હતો. મે પોતાને હીરો સાબિત કરવા માટે નહિ પરંતુ પોતાનો બચાવ કરવા માટે મૌન તોડ્યુ. ‘#MeToo અભિયાનથી દેશમાં એક ક્રાંતિ ફેલાઈ ગઈ છે. આના પર અભિનેત્રીએ કહ્યુ કે જો નામ જણાવીને શરમમાં મૂકાવાથી પુરુષો ડરે છે તો તેમણે ડરવુ પણ જોઈએ.

તનુશ્રીએ કરી દેશમાં ‘#MeToo ની શરૂઆત
નાના પાટેકર સામે બોલવા પર તનુશ્રી પર ઘણા પ્રકારના આરોપ પણ લાગ્યા હતા. ઘણા સિતારાઓએ કહ્યુ હતુ કે આ બધુ પબ્લિસિટી અને ફિલ્મોમાં પાછા આવવા માટે કરી રહી છે. આના પર અભિનેત્રીએ કહ્યુ, ‘મે આ બધુ એ હેતુથી નથી કહ્યુ. મે દસ વર્ષ પહેલા જે દરવાજા ખખડાવ્યા તે નહોતા ખુલ્યા. હું ભારતમાં રજાઓ માણવા નથી આવી. મીડિયામાંથી કોઈએ મને ‘#MeToo પર પૂછ્યુ અને મે બસ મારો જવાબ આપ્યો કે જે મારી સાથે થયુ હતુ તેના પર ધ્યાન આપવામાં નહોતુ આવ્યુ.'
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ



Click it and Unblock the Notifications
