આ કારણે થયુ હતું ઐશ્વર્યા રાય-સલમાન ખાનનું બ્રેકઅપ, 25 વર્ષે સત્ય પરથી પરદો હટ્યો
સલમાન ખાન અને ઐશ્વર્યા રાયની લવ સ્ટોરી બોલિવૂડની સૌથી ચર્ચિત લવ સ્ટોરીમાંથી એક છે. હવે આ લવ સ્ટોરીના અંતને લઈને કેટલાક ચૌકાવનારા ખુલાસા કર્યા છે.
સલમાન ખાન અને એક્ટ્રેસ ઐશ્વર્યા રાયનું 2001માં બ્રેકઅપ થઈ ગયા હોવા છતાં આજે પણ તેની ચર્ચા થાય છે. આ લવસ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. આ લવસ્ટોરીનો અંત પણ ખૂબ જ દર્દનાક હતો.

ઐશ્વર્યા રાય સાથેના બ્રેકઅપ બાદ સલમાન ખાન સંપૂર્ણ તૂટી ગયો હતો અને ડિપ્રેશનમાં ચાલ્યે ગયો હતો. કહેવાય છે કે ઐશ્વર્યા હવે તેની સાથે નથી એ હકીકત સ્વીકારવામાં સલમાન ખાનને ઘણો સમય લાગ્યો હતો. સલમાન ખાન સાથે બ્રેકઅપના થોડા સમય બાદ ઐશ્વર્યા રાયનું નામ બોલિવૂડ એક્ટર વિવેક ઓબેરોય સાથે જોડાવા લાગ્યું હતું.
આ નવા પ્રેમ પ્રકરણ વિશે જાણ્યા પછી સલમાન ખાન વધુ ગુસ્સે થઈ ગયો. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો સલમાન ખાને વિવેક ઓબેરોયના ઘરે જઈને તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. આ વાતનો ખુલાસો ખુદ વિવેક ઓબેરોયે એક પ્રેસ કોન્ફરન્સમાં કર્યો હતો. આ કેસ પછી ઐશ્વર્યા રાયે વિવેક ઓબેરોય સાથેના સંબંધો પણ તોડી નાખ્યા.
આજે પણ લોકોના મનમાં આ સવાલ ઉઠે છે કે સલમાન ખાન અને ઐશ્વર્યા રાય વચ્ચેનો સંબંધ કેમ તૂટી ગયો? કહેવાય છે કે સલમાન ખાન તેની પ્રેમિકા ઐશ્વર્યા રાય સાથે લગ્નની પ્રતિબદ્ધતા ઇચ્છતો હતો પરંતુ તે સમયે ઐશ્વર્યા તેના કામ પર સંપૂર્ણ ધ્યાન આપી રહી હતી. તેમનું સમગ્ર ધ્યાન ફિલ્મી કરિયર બનાવવા પર હતું.
તે દિવસોમાં ઐશ્વર્યા રાય બોલિવૂડની ટોચની અભિનેત્રી બનવા માટે સખત મહેનતમાં વ્યસ્ત હતી તો સલમાન ખાન પોતાના ઘરની વહુ પર્વને મિસ વર્લ્ડ બનાવવાની તૈયારી કરી રહ્યો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઐશ્વર્યા રાયે તે સમયે લગ્નમાં કોઈ રસ ન દાખવ્યો અને સલમાન ખાનને આ વાત ખરાબ લાગી. આ પછી જ બંને વચ્ચે ઝઘડા શરૂ થયા.
સેટ પરની આ લડાઈ બાદ જ ઐશ્વર્યા રાયે સલમાન ખાન સાથેના સંબંધો તોડી નાખ્યા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સલમાન ખાન તેની લેડી લવ ઐશ્વર્યા રાયને લઈને ખૂબ જ પઝેસીવ હતો અને ઐશ્વર્યાને આ બિલકુલ પસંદ નહોતું. આ સિવાય ઐશ્વર્યાને સલમાન ખાનનો ફ્લર્ટી સ્વભાવ બિલકુલ પસંદ નહોતો.
સલમાન ખાન સાથે બ્રેકઅપ થયા બાદ ઐશ્વર્યા રાયે કેમેરા સામે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. ઐશ્વર્યા રાયે કહ્યું કે સલમાને તેને માનસિક અને શારીરિક રીતે હેરાન કરી છે. સલમાનના કારણે ઐશ્વર્યા રાયની અંગત જિંદગી બગડી રહી હતી.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
