Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આ કારણે થયુ હતું ઐશ્વર્યા રાય-સલમાન ખાનનું બ્રેકઅપ, 25 વર્ષે સત્ય પરથી પરદો હટ્યો

સલમાન ખાન અને ઐશ્વર્યા રાયની લવ સ્ટોરી બોલિવૂડની સૌથી ચર્ચિત લવ સ્ટોરીમાંથી એક છે. હવે આ લવ સ્ટોરીના અંતને લઈને કેટલાક ચૌકાવનારા ખુલાસા કર્યા છે.

સલમાન ખાન અને એક્ટ્રેસ ઐશ્વર્યા રાયનું 2001માં બ્રેકઅપ થઈ ગયા હોવા છતાં આજે પણ તેની ચર્ચા થાય છે. આ લવસ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. આ લવસ્ટોરીનો અંત પણ ખૂબ જ દર્દનાક હતો.

aishvarya rai - salman khan

ઐશ્વર્યા રાય સાથેના બ્રેકઅપ બાદ સલમાન ખાન સંપૂર્ણ તૂટી ગયો હતો અને ડિપ્રેશનમાં ચાલ્યે ગયો હતો. કહેવાય છે કે ઐશ્વર્યા હવે તેની સાથે નથી એ હકીકત સ્વીકારવામાં સલમાન ખાનને ઘણો સમય લાગ્યો હતો. સલમાન ખાન સાથે બ્રેકઅપના થોડા સમય બાદ ઐશ્વર્યા રાયનું નામ બોલિવૂડ એક્ટર વિવેક ઓબેરોય સાથે જોડાવા લાગ્યું હતું.

આ નવા પ્રેમ પ્રકરણ વિશે જાણ્યા પછી સલમાન ખાન વધુ ગુસ્સે થઈ ગયો. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો સલમાન ખાને વિવેક ઓબેરોયના ઘરે જઈને તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. આ વાતનો ખુલાસો ખુદ વિવેક ઓબેરોયે એક પ્રેસ કોન્ફરન્સમાં કર્યો હતો. આ કેસ પછી ઐશ્વર્યા રાયે વિવેક ઓબેરોય સાથેના સંબંધો પણ તોડી નાખ્યા.

આજે પણ લોકોના મનમાં આ સવાલ ઉઠે છે કે સલમાન ખાન અને ઐશ્વર્યા રાય વચ્ચેનો સંબંધ કેમ તૂટી ગયો? કહેવાય છે કે સલમાન ખાન તેની પ્રેમિકા ઐશ્વર્યા રાય સાથે લગ્નની પ્રતિબદ્ધતા ઇચ્છતો હતો પરંતુ તે સમયે ઐશ્વર્યા તેના કામ પર સંપૂર્ણ ધ્યાન આપી રહી હતી. તેમનું સમગ્ર ધ્યાન ફિલ્મી કરિયર બનાવવા પર હતું.

તે દિવસોમાં ઐશ્વર્યા રાય બોલિવૂડની ટોચની અભિનેત્રી બનવા માટે સખત મહેનતમાં વ્યસ્ત હતી તો સલમાન ખાન પોતાના ઘરની વહુ પર્વને મિસ વર્લ્ડ બનાવવાની તૈયારી કરી રહ્યો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઐશ્વર્યા રાયે તે સમયે લગ્નમાં કોઈ રસ ન દાખવ્યો અને સલમાન ખાનને આ વાત ખરાબ લાગી. આ પછી જ બંને વચ્ચે ઝઘડા શરૂ થયા.

સેટ પરની આ લડાઈ બાદ જ ઐશ્વર્યા રાયે સલમાન ખાન સાથેના સંબંધો તોડી નાખ્યા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સલમાન ખાન તેની લેડી લવ ઐશ્વર્યા રાયને લઈને ખૂબ જ પઝેસીવ હતો અને ઐશ્વર્યાને આ બિલકુલ પસંદ નહોતું. આ સિવાય ઐશ્વર્યાને સલમાન ખાનનો ફ્લર્ટી સ્વભાવ બિલકુલ પસંદ નહોતો.

સલમાન ખાન સાથે બ્રેકઅપ થયા બાદ ઐશ્વર્યા રાયે કેમેરા સામે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. ઐશ્વર્યા રાયે કહ્યું કે સલમાને તેને માનસિક અને શારીરિક રીતે હેરાન કરી છે. સલમાનના કારણે ઐશ્વર્યા રાયની અંગત જિંદગી બગડી રહી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X