Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ક્યારેક બ્રા વિશે નિવેદન તો ક્યારેક અફેર, આ છે શ્વેતા તિવારી સાથે જોડાયેલા મોટા વિવાદ!

શ્વેતા તિવારીનો વિવાદો સાથે જૂનો નાતો છે. શ્વેતા તિવારીએ 'કસૌટી ઝિંદગી કી'થી ટીવીમાં પોતાની ઓળખ બનાવી હતી. ખૂબ જ નાની ઉંમરે તેણે માત્ર પત્ની જ નહીં પરંતુ માતા અને દાદીની ભૂમિકા પણ ભજવી હતી.

પ્રખ્યાત ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીનો વિવાદો સાથે જૂનો નાતો છે. શ્વેતા તિવારીએ 'કસૌટી ઝિંદગી કી'થી ટીવીમાં પોતાની ઓળખ બનાવી હતી. ખૂબ જ નાની ઉંમરે તેણે માત્ર પત્ની જ નહીં પરંતુ માતા અને દાદીની ભૂમિકા પણ ભજવી હતી. શ્વેતા તિવારી તેના કરિયર સિવાય તેના અંગત જીવનના કારણે ઘણી વખત સમાચારમાં રહી છે. અભિનેત્રીના નામ પર ઘણા વિવાદો છે.

Bollywood News

શ્વેતા તિવારીના નાની ઉમરે લગ્ન થયા

શ્વેતા તિવારીના નાની ઉમરે લગ્ન થયા

શ્વેતા તિવારીના લગ્ન રાજા ચૌધરી સાથે ખૂબ નાની ઉંમરમાં થયા હતા. પરંતુ તેમનો સંબંધ 9 વર્ષ પછી તૂટી ગયો. અભિનેત્રીએ રાજા ચૌધરી પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો. છૂટાછેડા પછી બંને ચર્ચામાં રહ્યા હતા.

બિગ બોસ 4માં જોવા મળી હતી

બિગ બોસ 4માં જોવા મળી હતી

શ્વેતા તિવારીએ બિગ બોસ 4માં જોવા મળી હતી. આ દરમિયાન રાજા ચૌધરી અને અભિનવ કોહલી વચ્ચે ઘણો ઝઘડો થયો હતો. રાજા ચૌધરીએ કહ્યું હતું કે શ્વેતા તિવારી અને અભિનવ કોહલીનું અફેર તેની પીઠ પાછળ ચાલી રહ્યું છે.

બીજા લગ્ન પણ નિષ્ફળ રહ્યા

બીજા લગ્ન પણ નિષ્ફળ રહ્યા

રાજા ચૌધરી સાથે છૂટાછેડા લીધા પછી શ્વેતા તિવારીએ અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા. પરંતુ તેમના લગ્ન પણ લાંબા સમય સુધી ટકી શક્યા નહીં. અભિનેત્રીએ અભિનવ પર પણ ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો. જો કે પલક તિવારીએ તેના ઈન્સ્ટાગ્રામ પરથી એક પોસ્ટ શેર કરી, જેમાં તેણે કહ્યું કે અભિનવે ક્યારેય તેની માતા પર હાથ ઉપાડ્યો નથી. આ પોસ્ટને બાદમાં પલક તિવારીએ ડિલીટ કરી દીધી હતી.

પુત્રની કસ્ટડી મામલે વિવાદોમાં રહી છે

પુત્રની કસ્ટડી મામલે વિવાદોમાં રહી છે

તમને જણાવી દઈએ કે, 2019માં છૂટાછેડા બાદ પુત્ર રેયાંશની કસ્ટડી માટે શ્વેતા તિવારી અને અભિનવ કોહલી વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું. અભિનવે આરોપ લગાવ્યો હતો કે તે રેયાંશને મળવા દેતી નથી. જો કે, કોર્ટે અભિનવને સપ્તાહના અંતે રેયાંશને મળવા દેવા કહ્યું હતું.

બિકીની પહેરી વિવાદ છેડ્યો હતો

બિકીની પહેરી વિવાદ છેડ્યો હતો

શ્વેતા તિવારીએ તેની કારકિર્દી દરમિયાન સર્વાઈવર ઈન્ડિયામાં ભાગ લીધો હતો. તે દરમિયાન તેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તે બિકીની પહેરીને જંગલમાં નહાતી જોવા મળી હતી. તેના આ વીડિયોના કારણે શ્વેતા તિવારી લોકોના નિશાના પર આવી ગઈ હતી.

બ્રા મુદ્દે નિવેદન

બ્રા મુદ્દે નિવેદન

શ્વેતા તિવારીએ તેના શો શો સ્ટોપરના લોન્ચિંગ ઈવેન્ટ દરમિયાન નિવેદન આપ્યું હતું, કે, ભગવાન મારી બ્રાનું માપ લઈ રહ્યા છે. શ્વેતા તિવારી પોતાના નિવેદનના કારણે લોકોના નિશાના પર આવી હતી. સંસ્કૃતિ બચાવો મંચે માત્ર શ્વેતા તિવારીની તસવીરો જ સળગાવી ન હતી પરંતુ અભિનેત્રી પાસેથી માફી માંગવાની પણ માંગ કરી હતી. આ કેસમાં અભિનેત્રી વિરુદ્ધ FIR પણ નોંધવામાં આવી હતી.

શ્વેતાને લગ્નમાં વિશ્લાસ નથી

શ્વેતાને લગ્નમાં વિશ્લાસ નથી

શ્વેતા તિવારીએ પોતાના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તે લગ્નમાં માનતી નથી, જેના કારણે તેણે પુત્રીને લગ્ન ન કરવાની સલાહ આપી હતી. શ્વેતા તિવારીએ કહ્યું કે તે પોતાની દીકરી પર કોઈ દબાણ નથી કરતી. સાથે જ તેણે દીકરી પલકને કહ્યું કે કોઈ પણ નિર્ણય લેતા પહેલા એક વાર વિચારવું જોઈએ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X