TMKOC : ગણપતિ ઉત્સવમાં થશે નવા તારક મહેતાની એન્ટ્રી, આ કલાકાર લેશે શૈલેષ લોઢાની જગ્યા!
પ્રખ્યાત ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અત્યાર સુધીનો સૌથી લાંબો શો છે. આ સીરિયલ તેના પાત્રોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. જો કે, અત્યાર સુધી ઘણા જૂના કલાકારો આ શોને અલવિદા કહી ચૂક્યા છે.
મુંબઈ : પ્રખ્યાત ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અત્યાર સુધીનો સૌથી લાંબો શો છે. આ સીરિયલ તેના પાત્રોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. જો કે, અત્યાર સુધી ઘણા જૂના કલાકારો આ શોને અલવિદા કહી ચૂક્યા છે. તેમના પાત્રો હવે નવા કલાકારો દ્વારા રજૂ કરવામાં આવી રહ્યા છે. દિશા વાકાણીએ શો છોડ્યો ત્યારથી નેહા મહેતા, ભવ્ય ગાંધી, રાજ અનડકટ, નિધિ ભાનુશાલી, શૈલેષ લોઢા સહિતના ઘણા લોકપ્રિય સ્ટાર્સે શોને અલવિદા કહી દીધું છે. અહેવાલ છે કે હવે આ સીરિયલમાં નવા તારક મહેતાની એન્ટ્રી થવાની છે. તારક મહેતાની એન્ટ્રી આ સિરિયલમાં ચાલી રહેલા ગણપતિ ઉત્સવ દરમિયાન થશે.

ગણેશોત્સવમાં નવા તારક મહેતાની એન્ટ્રી
તમને જણાવી દઈએ કે આ સમયે સીરિયલની ગોકુલધામ સોસાયટીમાં ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ગણપતિ ઉત્સવની ઉજવણી વચ્ચે નવા તારક મહેતાની એન્ટ્રી થશે. મળતી માહિતી મુજબ, અભિનેતા સચિન શ્રોફ નવા તારક મહેતાની ભૂમિકા ભજવશે. અગાઉ, આ સિરિયલમાં ડૉક્ટર હંસરાજ હાથીની ભૂમિકા ભજવનાર કવિ કુમાર આઝાદના મૃત્યુ પછી આવેલા નિર્મલ સોનીએ પણ ગોકુલધામમાં ગણપતિ ઉત્સવ દરમિયાન શોમાં પ્રવેશ કર્યો હતો. જુલાઈ 2018માં કવિ કુમાર આઝાદનું હાર્ટ એટેકથી અવસાન થયું હતું. નિર્મલ સોનીએ ડૉક્ટર હાથી તરીકે શોમાં પ્રવેશ કર્યો હતો. હવે સચિન શ્રોફ પણ ગણપતિ ઉત્સવ દરમિયાન જ ગોકુલધામમાં પ્રવેશવાના છે. તેણે સીરિયલના જૂના તારક મહેતા શૈલેષ લોઢાની જગ્યા લીધી છે.

નિર્મલ સોનીએ પણ ગણેશ ઉત્સવમાં એન્ટ્રી કરી હતી
જુલાઈ 2018માં કવિ કુમાર આઝાદનું હાર્ટ એટેકથી અવસાન થયું હતું. નિર્મલ સોનીએ ડૉક્ટર હાથી તરીકે શોમાં પ્રવેશ કર્યો હતો. હવે સચિન શ્રોફ પણ ગણપતિ ઉત્સવ દરમિયાન જ ગોકુલધામમાં પ્રવેશવાના છે. તેણે સીરિયલના જૂના તારક મહેતા શૈલેષ લોઢાની જગ્યા લીધી છે.

સચિને શૂટિંગ શરૂ કર્યુ
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના સમાચાર અનુસાર, સચિન શ્રોફે સીરિયલનું શૂટિંગ શરૂ કરી દીધું છે. સચિને આ પહેલા પણ ઘણી ફેમસ સીરિયલ્સમાં કામ કર્યું છે. તમને જણાવી દઈએ કે સચિન શ્રોફ છેલ્લે બોલિવૂડ એક્ટર બોબી દેઓલની પ્રખ્યાત વેબ સીરિઝ 'આશ્રમ'માં જોવા મળ્યો હતો. તે ટીવી સીરિયલ ગમ હૈ કિસી કે પ્યારમાં પણ જોવા મળી ચુક્યા છે. તમને જણાવી દઈએ કે શૈલેષ લોઢાએ માર્ચ 2022 પછી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું શૂટિંગ બંધ કરી દીધું હતું. તેનું કારણ જણાવતાં તેણે કહ્યું હતું કે હું મારા કોન્ટ્રાક્ટથી બહુ ખુશ નહોતો અને મને લાગ્યું કે શોમાં મારી તારીખોનો યોગ્ય રીતે ઉપયોગ થઈ રહ્યો નથી. પ્રોડક્શન હાઉસે શૈલેષને રોકવાનો પૂરેપૂરો પ્રયાસ કર્યો હતો પરંતુ કામ પાર પડ્યું ન હતું.












Click it and Unblock the Notifications
