#MeToo: રેપ મામલે ધરપકડના ડરથી મુંબઈ છોડીને ભાગી ગયો "સંસ્કારી" આલોકનાથ
#MeToo: ધરપકડના ડરથી મુંબઈ છોડીને ભાગ્યો "સંસ્કારી" આલોકનાથ
મુંબઈઃ મી ટૂ કેમ્પેઈન દરમિયાન અભિનેતા આલોકનાથ પર પણ સ્ક્રીન રાઈટર અને ડિરેક્ટર વિંટા નંદાએ રેપનો આરોપ લગાવ્યો હતો. ઘટના 10 વર્ષ જૂની છે. જેમાં રેપના ચાર્જીસ આલોક નાથ પર લાગી ગયા છે. મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ આ કેસ નોંધવામાં આવ્યો હતો. હવે જે જાણકારી મળી રહી છે તે મુજબ કેસ નોંધ્યા બાદથી જ આલોક નાથ મુંબઈથી ફરાર થઈ ગયા છે. આ વાત એ સમયે આવી છે જ્યારે કેટલીય વાર પૂછપરછ માટે સમન મોકલ્યા બાદ પણ આલોકનાથ પોલીસ સમક્ષ હાજર ન થયો. મિડ-ડેના સૂત્રોએ જણાવ્યું કે આલોકનાથના ઘરે આ સમયે સમનનો પત્ર લેવા માટે કોઈ પણ નથી.

કોઈ જરૂરી કામથી બહાર ગયા
અશોક સારૌગીએ મિડ-ડેને કહ્યું કે, આલોક નાથ કોઈ જરૂરી કામથી કેટલાક દિવસ માટે શહેરથી બહાર ગયા છે. સમજ મોકલવામાં જરૂર આવ્યું છે પરંતુ હજુ સુધી તેમને સોંપવામાં આવ્યું નથી. તેઓ આ અઠવાડિયે મુંબઈ પરત આવી જશે અને તેઓ ઓશિવારા પોલીસ સ્ટેશન જરૂર પહોંચશે. તે મારી સાથે હંમેશા કોન્ટેક્ટમાં છે.

વિંટા નંદાએ આલોક નાથ પર શું આરોપો લગાવ્યા હતા
વિંટા નંદાએ પોતાના ફેસબુક પર લખ્યું હતું કે 'તેણે મારી સાથે શારીરિક દુર્વ્યવહાર કર્યો જ્યારે હું વર્ષ 1994ના એક મશહૂર શો તારા માટે કામ કરી રહી હતી. તેની પત્ની મારી સારી ફ્રેન્ડ હતી. અમે એકબીજાના ઘરે આવતા-જતા રહેતા હતા. વિંટા લખે છે કે એકવાર હું તેમના ઘરે પાર્ટીમાં ગઈ. મોડી રાત્રે 2 વાગ્યે હું ત્યાંથી નીકળી ગઈ કેમ કે મને ઠીક નહોતું લાગી રહ્યું.'

ડ્રિંકમાં કંઈક ભેળવી દીધું હતું.
મારા ડ્રિંકમાં કંઈક ભેળવી દીધું હતું. હું એકલી જ રસ્તા કાંઠે ચાલી નીકળી હતી. થોડે દૂર ગયા બાદ એક કાર મારી પાસે આવીને ઉભી રહી અને મને ઘર સુધી છોડી જવાની વાત કરી. મેં તેના પર ભરોસો કર્યો અને ગાડીમાં બેસી ગઈ. હું બેહોશ થઈ ગઈ. મને થોડું યાદ છે કે મારા મોઢામાં દારૂ નાખી રહ્યા હતા. બીજા દિવસે બપોરે ઉઠી તો મને દુઃખાવો થયો. માત્ર મારો રેપ નહોતો થયો, મારા ઘરે લાવીને બરબાદ કરી દીધી હતી. હું ઉઠી પણ નહોતી શકતી.
-
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
પુડુચેરી વિધાનસભા ચૂંટણીમાં 9.50 લાખ મતદારો સાથે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું -
UN નો અહેવાલ: 2023 થી 2025 દરમિયાન વધતી હિંસા વચ્ચે વૈશ્વિક સ્તરે 1,000 થી વધુ માનવતાવાદી કામદારો માર્યા ગયા











Click it and Unblock the Notifications
