નથી રહ્યાં દિગ્ગજ અભિનેતા વિક્રમ ગોખલે, પુણેમાં લીધા છેલ્લા શ્વાસ
ફિલ્મ અને ટેલિવિઝન સ્ટાર વિક્રમ ગોખલેનું શનિવારે નિધન થયું હતું. તેમણે 26 નવેમ્બરે પુણેમાં 82 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. ગોખલે હમ દિલ દે ચૂકે સનમ અને ભૂલ ભુલૈયા જેવી ફિલ્મોમાં તેમની ભૂમિકાઓ માટે લોકપ્રિય બન્યા હતા.
ફિલ્મ અને ટેલિવિઝન સ્ટાર વિક્રમ ગોખલેનું શનિવારે નિધન થયું હતું. તેમણે 26 નવેમ્બરે પુણેમાં 82 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. ગોખલે હમ દિલ દે ચૂકે સનમ અને ભૂલ ભુલૈયા જેવી ફિલ્મોમાં તેમની ભૂમિકાઓ માટે લોકપ્રિય બન્યા હતા. વૃદ્ધાવસ્થાના રોગોના કારણે તેમની તબિયત અચાનક લથડી હતી. જે બાદ તેને પુણેની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
થોડા સમય પહેલા હોસ્પિટલમાં કરાયા હતા દાખલ
82 વર્ષીય અભિનેતાને થોડા દિવસો પહેલા પુણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તબીબોની વિશેષ ટીમ દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી હતી. સારવાર બાદ તેમની તબિયતમાં સુધારો થયો હતો. પરંતુ શુક્રવારે અચાનક તેમની તબિયત બગડી હતી. ત્યાં આજે તેમનું નિધન થયું હતું.
સાંજે કરવામાં આવશે અંતિમ સંસ્કાર
અભિનેતા વિક્રમ ગોખલેના અંતિમ સંસ્કાર આજે સાંજે પૂણેના બૈકુંઠ ધામમાં કરવામાં આવશે. વર્ક ફ્રન્ટ પર, ગોખલે અમિતાભ બચ્ચન-સ્ટારર પરવાના, હમ દિલ દે ચૂકે સનમ, અગ્નિપથ અને ખુદા ગવાહ જેવી ફિલ્મોમાં તેમની ઓન-સ્ક્રીન ભૂમિકાઓ માટે જાણીતા હતા. ભારતીય સિનેમામાં પોતાની જાતને સ્થાપિત કરનાર ગોખલેને 2010માં મરાઠી ફિલ્મ ઈશ્તી માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો. ટેલિવિઝનમાં તેણે ઔર આજા પરદેશી, અલ્પવિરામ, જાના ના દિલ સે દૂર, સંજીવની, ઇન્દ્રધનુષ જેવા લોકપ્રિય શોમાં પણ કામ કર્યું હતું.
અભિનેતા ચંદ્રકાંતાના પુત્ર હતા ગોખલે
ગોખલે મરાઠી થિયેટર અને ફિલ્મ અભિનેતા ચંદ્રકાંત ગોખલેના પુત્ર હતા. પ્રાદેશિક સિનેમામાં કામ કર્યા પછી, ગોખલેએ 2010માં ફિલ્મ આઘાતથી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી. તેમની છેલ્લી ફિલ્મ અભિમન્યુ દાસાની અને શિલ્પા શેટ્ટી અભિનીત નિકમ્મા હતી. આ ફિલ્મ આ વર્ષે જૂનમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. વિક્રમ ગોખલે એક સામાજિક કાર્યકર પણ હતા. તેમના પરિવારનું ફાઉન્ડેશન વિકલાંગ સૈનિકો, રક્તપિત્તના દર્દીઓના બાળકો અને અનાથ બાળકોના શિક્ષણ માટે નાણાકીય સહાય પૂરી પાડે છે.