દિલ ખોલી અંગત પ્રશ્નોમાં ફસાયા આમિર ખાન
મુંબઈ, 27 નવેમ્બર : આજકાલ બૉલીવુડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ પોતાની આવનાર ફિલ્મ તલાશના પ્રમોશનમાં વ્યસ્ત છે. સ્વાભાવિક છે કે તેથી જ તેઓ ટેલીવિઝન ચૅનલો ઉપર પણ દેખાઈ રહ્યાં છે. તાજેતરમાં જ સોનીના જાણીતા શો સીઆઈડીમાં આવી ધૂમ મચાવનાર આમિર ખાન ટુંકમાં જ સ્ટાર પરિવાર શોમાં દેખાશે, પરંતુ આ શોમાં તેમને તલાશનું પ્રમોશન કરવું થોડું ભારે પડી ગયું.
સ્ટાર પ્લસના બહુચર્ચિત શોના લોકો આમિર ખાનને તે વખતે કેટલાંક અંગત પ્રશ્નો કરી બેઠાં કે જ્યારે આમિરે પોતાની સાથે જોડાયેલી કેટલીક વાતોનો લોકો સામે ખુલાસો કર્યો. આમિરે જેમ કહ્યું કે તેમના જીવનમાં ત્રણ મહિલાઓનો મોટો ફાળો રહ્યો છે. પહેલા તેમના માતા કે જેમણે તેમને જન્મ આપ્યો છે. બીજા તેમના પ્રથમ પત્ની રીના દત્તા કે જેઓ તેમના બે બાળકોના માતા છે અને ત્રીજા તેમના વર્તમાન પત્ની કિરણ રાવ.
આમિરે એટલું કહ્યું કે તેમની સામે પ્રશ્નોનો વરસાદ શરૂ થઈ ગયો. આમિરને પૂછવામાં આવ્યું કે જ્યારે રીના તેમના માટે એટલા મહત્વના છે, તો તેમણે રીના સાથે છેડો કેમ ફાડ્યો? આખરે એવું તો શું થયું કે તેમણે પોતાનું 17 વર્ષનું લગ્ન જીવન ખતમ કરી નાંખ્યું. શું આની પાછળનું કારણ કિરણ રાવ છે એટલે કે એકસ્ટ્રા મૅરેટલ અફૅર? જવાબ આમિર માટે સરળ નહોતો. જોકે તેમણે આ સવાલનો શો જવાબ આપ્યો, તે જાણવા 29મી નવેમ્બરની રાત્રે નવ વાગ્યે જુઓ સ્ટાર પ્લસ ઉપર પ્રસારિત થનાર કાર્યક્રમ સ્ટાર પરિવાર.
નોંધનીય છે કે આમિર ખાનની તલાશ ફિલ્મ 30મી નવેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં આમિર સાથે રાણી મુખર્જી અને કરીના કપૂર છે. ફિલ્મના દિગ્દર્શક રીમા કાગતી છે.