માતા બનવા છતાં યશના નિધનથી શોકમગ્ન છે અમૃતા
મુંબઈ, 22 ઑક્ટોબર : આયટમ ગર્લ મલાઇકા અરોરા ખાનના નાના બહેન અમૃતા અરોરાએ ગત શનિવારે પોતાના બીજા પુત્રને જન્મ આપ્યો, પણ તેઓ છતાંય ખુશ નથી. અરે આપ એમ ના વિચારતાં કે તેઓ પોતાના પુત્રને જન્મ આપવાના કારણે દુઃખી છે. હકીકતમાં વાત જાણે એમ છે કે અમૃતા ફિલ્મ મેકર યશ ચોપરાના આકસ્મિક અવસાન અંગે બહુ જ દુઃખી છે.

અમૃતાને એ વાતનો પણ અફસોસ છે કે તેમણે બે દિવસ પહેલાં જ બાળકને જન્મ આપ્યો છે. તેથી તે યશ ચોપરાની અંતિમ યાત્રામાં પણ ભાગ નહિં લઈ શકે. અન્ય બૉલીવુડ કલાકારોની જેમ અમૃતા પણ દુઃખદ આશ્ચર્યચકિત અને શોકમગ્ન છે. તેમણે વિશ્વાસ નથી થતો કે યશ ચોપરા આ રીતે આપણી વચ્ચેથી વિદાય લઈ લેશે.
આપને જણાવી દઇએ કે અમૃતાના પતિ શકીલ છે. તેમના થકી અમૃતાને એક પુત્ર અગાઉથી જ છે. લોકોને આ વાતની માહિતી મલાઇકાના પતિ અરબાઝ ખાને ટ્વિટર ઉપર આપી.












Click it and Unblock the Notifications
