શું સુષ્મિતા સેન ફરીથી રહી જશે કુંવારી? નહિ કરે લલિત મોદી સાથે લગ્ન!
શું સુષ્મિતા સેન ખરેખર લલિત મોદી સાથે લગ્ન કરશે કે આ વખતે પણ તે કુંવારી રહેશે?
મુંબઈઃ પૂર્વ મિસ યુનિવર્સ અને બૉલિવુડ અભિનેત્રી સુષ્મિતા સેન આજકાલ પોતાની અંગત જિંદગીને કારણે ચર્ચામાં છે. ઉદ્યોગપતિ લલિત મોદીએ સુષ્મિતા સેન સાથેનો તેમનો ખૂબ જ અંગત ફોટો શેર કર્યો અને જાહેર કર્યુ કે તેઓ ડેટિંગ કરી રહ્યા છે. તે પહેલાં જ તેમણે એક પોસ્ટમાં દાવો કર્યો હતો કે તે તેમની બેટર હાફ છે! ત્યારબાદ બીજી પોસ્ટમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે ટૂંક સમયમાં અમે લગ્ન કરી શકીશુ. હવે શું સુષ્મિતા સેન ખરેખર લલિત મોદી સાથે લગ્ન કરશે કે આ વખતે પણ તે કુંવારી રહેશે?
શું સુષ્મિતા સેન કરશે લલિત મોદી સાથે લગ્ન
તમને જણાવી દઈએ કે સુષ્મિતા સેને હાલમાં જ પોતાનો 46મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો છે. ઉંમરના આ તબક્કે પણ તેણે હજુ સુધી લગ્ન કર્યા નથી. જ્યાં સુધી લલિત મોદી સાથેની તેની નિકટતાની વાત છે, અભિનેત્રીના જીવનમાં તે પહેલો પ્રેમી નથી જે તેની સુંદરતા પર જીવ રેડે છે.
સુષ્મિતા સેને લલિત મોદીના દાવાનો કર્યો ઈનકાર
જ્યારે લલિત મોદીએ સોશિયલ મીડિયા પર સુષ્મિતા સેન સાથેના પ્રેમ સંબંધની ખુલ્લેઆમ વાત કરી ત્યારે સુષ્મિતા સેને મૌન તોડ્યુ અને તેની બંને પુત્રીઓ સાથેના ફોટા શેર કરીને આ દાવાથી અંતર કરી લીધુ.
સુષ્મિતાએ કહ્યુ - ના તો લગ્ન કર્યા છે, ના તો રિંગ પહેરી છે
સુષ્મિતા સેને તેની દીકરીઓ સાથેનો પોતાનો એક સુંદર ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો અને લખ્યુ કે, 'હું મારી હેપ્પી પ્લેસમાં છુ. ના તો લગ્ન કર્યા છે અને ના તો રિંગ પહેરી છે. હું બિનશરતી પ્રેમથી ઘેરાયેલી છુ. બહુ થઈ ગઈ સફાઈ. હવે કામ અને જીવન પર પાછા ફરીએ. મારી ખુશીનો ભાગ બનવા બદલ તમારો આભાર અને જેઓ નહોતા બન્યા તેમનો પણ આભાર. આમ પણ આને તમારી સાથે કોઈ લેવાદેવા નથી. આ રીતે તેણે તમામ અટકળો પર લગામ લગાવવાનુ કામ કર્યુ છે.
શું સુષ્મિતા સેન ફરીથી રહી જશે કુંવારી?
સુષ્મિતા સેનની આ પોસ્ટથી સ્પષ્ટ થાય છે કે લલિત મોદીએ સુષ્મિતા સેન સાથેનો ઈન્ટિમેટ ફોટો શેર કર્યો હતો અને લગ્ન કર્યાનો દાવો કર્યો હતો, આ બધી તેમની વિચારસરણી હતી. સુષ્મિતા સેન હજુ પણ લગ્ન કરવાના મૂડમાં નથી. તે હજુ પણ સિંગલ રહેવા માંગે છે.