For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘ચોપરા ગયાં, યશ ક્યારેય મરી ન શકે’

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 23 ઑક્ટોબર : યશ ચોપરાના આકસ્મિક નિધને અચ્છા-અચ્છા લોકોને આંચકો આપ્યો છે. દરેકને એમ જ લાગે છે કે ક્યાંકથી કોઈ અવાજ આવે અને એમ કહે કે યશજી જીવે છે, પરંતુ અફસોસ કે એવું કઈં થવાનું નથી. યશ ચોપરાની એક ફૅન રીતુ ચૌધરીએ ફેસબુક પર લખ્યું છે કે ચોપરાનું મૃત્યુ થયું છે, યશજી તો આજે પણ જીવે છે. યશજીનો યશ તેમનાથી કોઈ છીનવી નહિં શકે.

Shahrukh-Kat

રીતુએ લખ્યું છે - શું થયું જો તેમની ઇચ્છા અધૂરી રહી ગઈ. તેમની ઇચ્છા તેમના દર્શકો પૂર્ણ કરી દેશે અને હું દાવો કરી શકું કે તેમની છેલ્લી ફિલ્મ જબ તક હૈ જાન તેમની તમામ ફિલ્મોની જેમ બહેતરીન અને નાયાબ હશે. હું તેને જોયાં વગર જ સોમાંથી સો નંબર આપું છું. તેમની વાર્તાઓ હૃદયને ચેન આપે છે, હોઠે સ્મિત ફરકાવે છે અને આંખોને સપનાં આપે છે. તેથી યશજી કાયમ લોકોના હૃદયમાં જીવતાં રહેશે.

જોયું આપે કે કઈ હદે લોકો યશજીને પ્રેમ કરે છે અને તેમને યાદ કરે છે. યશજીની છેલ્લી ફિલ્મ જબ તક હૈ જાન આગામી 13મી નવેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મમાં શાહરુખ ખાન, કૅટરીના કૈફ અને અનુષ્કા શર્મા છે.

English summary
Yash Chopra is Grate Filmmaker and His Last Film Jab Tak Hai Jaan will creates History Said Yash Chopra's Fans on Facebook.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X