'રામાયણ'માં રાવણ નહિ બને યશ, આખરે કેમ લીધો આ નિર્ણય, સામે આવ્યુ મોટુ કારણ
Ramayan: નિતેશ તિવારીની આગામી ફિલ્મ 'રામાયણ'ની સોશિયલ મીડિયા પર હાલમાં જોરશોરથી ચર્ચા થઈ રહી છે. તાજેતરમાં જ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થયું છે. અહેવાલ છે કે આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામના રોલમાં, સાઈ પલ્લવી માતા સીતાના રોલમાં અને સની દેઓલ હનુમાનના રોલમાં જોવા મળશે.
એવું કહેવામાં આવી રહ્યું હતું કે કન્નડ ફિલ્મના સુપરસ્ટાર યશ ફિલ્મ 'રામાયણ'માં રાવણની ભૂમિકા ભજવશે. પરંતુ હવે ઝૂમ પરના એક અહેવાલ મુજબ, અભિનેતા આ ફિલ્મ સાથે માત્ર એક નિર્માતા તરીકે સંકળાયેલો છે અને તે રાવણના રોલમાં જોવા મળશે નહીં.

ફિલ્મ સાથે જોડાયેલા એક સૂત્રએ કહ્યું- KGF સ્ટાર યશે રાવણના રોલને નકારી કાઢ્યો છે. તે આ ફિલ્મ સાથે માત્ર મેકર તરીકે જોડાયેલો છે. એવા સમાચાર હતા કે તેણે રાવણનું પાત્ર ભજવવા માટે 150 કરોડ રૂપિયાની ફી માંગી હતી. આ માટે મેકરે તેને 80 કરોડ રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું. જો કે હવે યશ આ ફિલ્મ સાથે નિર્માતા તરીકે જ જોડાયેલો છે.
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો નિતેશ તિવારીની ફિલ્મ 'રામાયણ'ના સેટ પરથી ઘણી તસવીરો લીક થઈ છે. આવી સ્થિતિમાં હવે નિર્માતાઓએ સેટ પર નો-ફોન પૉલિસી પણ લાગુ કરી છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, ફિલ્મમાં કુંભકરણનો રોલ કરવા માટે બૉબી દેઓલનો સંપર્ક કરવામાં આવ્યો છે.
કહેવામાં આવી રહ્યું છે કે સાઉથના ફેમસ એક્ટર વિજય સેતુપતિ રાવણના સૌથી નાના ભાઈ વિભીષણની ભૂમિકા ભજવી શકે છે. આ સિવાય લારા દત્તા અને શીબા ચઢ્ઢા પણ આ ફિલ્મનો ભાગ હશે. લારા દત્તા ભગવાન રામની સાવકી માતા કૈકેયીનું પાત્ર ભજવશે જ્યારે શીબા મંથરાના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 2025ની દિવાળીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
ફિલ્મમાં ભગવાન શ્રી રામનું પાત્ર ભજવી રહેલા બૉલિવુડ અભિનેતા રણબીર કપૂરના ફિટનેસ કોચ લોકોને અભિનેતાની તાલીમની ઝલક બતાવી છે. ઈન્સ્ટાગ્રામ પર રણબીરના ટ્રેનરે તેનો એક વીડિયો શેર કર્યો છે જેમાં તે શર્ટ વગર વર્કઆઉટ કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રણબીર કપૂર પોતાના ફિટનેસ ટ્રેનર સાથે દોડી રહ્યો છે, વજન ઉતારી રહ્યો છે અને વિવિધ પ્રકારની કસરતો કરી રહ્યો છે. આ સિવાય તેણે સ્વિમિંગ, સાઇકલિંગ અને અન્ય ઘણી બાબતોને તેની ટ્રેનિંગમાં સામેલ કરી છે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
