For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઝીનતે લગ્ન નથી કર્યાં, પણ કોણ છે તેમના જીવનમાં?

|
Google Oneindia Gujarati News

zeenat-aman
મુંબઈ, 7 ફેબ્રુઆરી : બૉલીવુડના સૌંદર્યપૂર્ણ અભિનેત્રી ઝીનત અમાનનું અંગત જીવન આજકાલ ખૂબ ચર્ચામાં છે. કહે છે કે ઝીનત અમાન ફરી એક વાર પોતાના જીવનની નવી શરુઆત કરવાનું વિચારી રહ્યાં છે. ઝીતને થોડાંક દિવસ અગાઉ મીડિયા સાથે વાતચીતમાં દરમિયાન જણાવ્યુ હતું કે તેમના જીવનમાં કોઈ છે અને તેઓ તેની સાથે જ પોતાના લગ્ન અંગે વિચારી રહ્યાં છે, પરંતુ પછી ઝી ન્યુઝ સાથે ઝીનતની વાતચીત દરમિયાન નવી વાત સામે આવી કે ઝીનત પોતાના લગ્ન અંગે નથી વિચારતાં.

હવે આ બંનેમાંથી કઈ વાત સાચી છે, એ તો ઝીનત જ જાણે છે. જોકે ઝીનત અમાને હજી સુધી આ અંગે સ્પષ્ટ ખુલાસો નથી કર્યો, પરંતુ છતાં અટકળો સેવાઈ રહી છે. નોંધનીય છે કે કે થોડાંક જ દિવસ અગાઉ સમાચાર આવ્યા હતાં કે ઝીનત અમાન એક રીયલ એસ્ટેટ વ્યવસાયી સરફરાઝ હસન અહેમદને પસંદ કરે છે અને તેમની સાથે લગ્ન કરવાનું વિચારે છે. મીડિયામાં ખૂબ હોબાળો થયા બાદ ઝીનતે મીડિયા સામે આવી ખુલાસો કર્યો કે મારા જીવનમાં કોઈ શખ્સ છે, એ વાત સાચી છે, પરંતુ તે સરફરાઝ નહીં, પણ કોઈ બીજો છે.

સરફરાઝ સાથે પોતાની તસવીર જોઈ આશ્ચર્ય પામનાર ઝીનતે જણાવ્યું કે તેમની સાથે સંકળાયેલ શખ્સ શિવસેના સાથે જોડાયેલો છે અને તેને તેઓ ઘણા વર્ષોથી જાણે છે.

English summary
Zeenat Aman planning to get marry but no one knows the name of that man. Zeenat also denies the news that she is marrying Sarfaraz, a 36 years old Businessman. She told that that her special man is related to Shiv Sena party, Mumbai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X