રાજ્યના 7 IPS ને પ્રમોશન, જામનગર એસપી દિપેન ભદ્રનને એટીએસના ડીજીપી બનાવાયા!
લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી ત્યારે આખરે સરકારે પ્રમોશન પર મહોર મારી છે. વિગતે કરીએ તો, આ તમામ 7 આઇપીએસ અધિકારીઓને ડીઆઇજી તરીકે પ્રમોશન આપવામાં આવ્યુ છે.
ગાંધીનગર : ગુજરાતમાં નવી સરકાર બન્યા બાદ મોટાપાયે આઈપીએસ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે. મળી રહેલા સમાચાર મુજબ ગુજરાતના 7 આઈપીએસ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે. આ તમામ અધિકારીઓને આઈપીએમમાંથી DIG તરીકે પ્રમોશન આપવામાં આવ્યુ છે.

લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી ત્યારે આખરે સરકારે પ્રમોશન પર મહોર મારી છે. વિગતે કરીએ તો, આ તમામ 7 આઇપીએસ અધિકારીઓને ડીઆઇજી તરીકે પ્રમોશન આપવામાં આવ્યુ છે. આ પ્રમોશનમાં પરીક્ષિતા રાઠોડ, મકરંદ ચૌહાણ દીપેન ભદ્રન સહિત સાત આઇપીએસ અધિકારીઓનો સમાવેશ થાય છે. દીપેન ભદ્રનને એટીએસમાં ડીઆઇજી તરીકે પ્રમોશન મળ્યુ છે. આ ઉપરાંત ડીસીપી ઝોન-3 અમદાવાદ શહેર મકરંદ ચૌહાણને એસીબીના ડીઆઈજી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બીજી તરફ આ પ્રમોશન બાદ મોટા પાયે આઈપીએસની બદલીઓ બહુ જલ્દી જોવા મળી શકે છે.
પ્રમોશન થયેલા આ સિવાયના અધિકારીની વાત કરવામાં આવે તો ડીએચ પરમાર, એમએલ નિનામા, એસપી સીઆઈડી ક્રાઈમ સૌરભ તોંબલિયા, પરિક્ષિતા ચૌહાણ અને આર એમ પાંડેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત હવે બીજી તરફ દીપેન ભદ્રનને એટીએસમાં ડીઆઇજી તરીકે પ્રમોશન અપાતા હિમાંશુ શુક્લાને રોમાં મોકલવામાં આવી શકે છે. ટૂંક જ સમયમાં જ મોટા પ્રમાણમાં આઇપીએસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવે તેવી પણ શક્યતા છે.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા






Click it and Unblock the Notifications
