Viral Video: "કપિલ શર્માના ફેન્સ મને ગાળો ભાંડી રહ્યાં છે.."
અભિજીત ગાંગુલીએ કપિલ શર્મા પર તેમનો જોક ચોરી કરવાનો આરોપ લગાવ્યો હતો. એ પછી તેને કેવી પરિસ્થિતિનો સામનો કરવાનો આવ્યો છે એ તેણે વીડિયો થકી જણાવ્યું છે.
કપિલ શર્મા છેલ્લા કેટલાયે સમયથી વિવાદોમાં છે અને તે પણ ખોટા કારણોસર. સુનીલ ગ્રોવર સાથે તેમનો ઝગડો થયા બાદ જાણે કપિલની પડતી શરૂ થઇ છે. આ ઝગડા બાદ અનેક લોકો એવી ટિપ્પણી કરી ચૂક્યાં છે કે, કપિલને સ્ટારડમ પચ્યું નથી. કપિલની ઇમેજ અભિમાની એક્ટર તરીકેની થઇ ગઇ છે, તેમના શોની ટીઆરપી સતત ઘટતી જાય છે, સુનીલ ગ્રોવરને મનાવવાના તેમના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા છે. એવામાં હવે તેમની પર જોક ચોરીનો પર આરોપ લગાવવામાં આવ્યો છે.

સ્ટેન્ડ અપ કોમેડિયન અભિજીતનો આરોપ
તમને ખબર જ હશે કે સ્ટેન્ડઅપ કોમેડિયન અભિજીત ગાંગુલીએ કપિલ શર્મા પર પોતાનો જોક ચોરી કરવાનો આરોપ લગાવ્યો છે. તેમનો દાવો છે કે, 9 એપ્રિલના તેમના એક વીડિયોમાં જે જોક તેમણે કહ્યો હતો એ જ જોકનો ઉપયોગ કીકૂ શારદાએ ધ કપિલ શર્મા શોમાં કર્યો હતો.

ક્રિકેટર પર હતો જોક
ધ કપિલ શર્મા શોમાં કીકૂએ ફાસ્ટ બોલર્સ અંગેના જોકમાં કહ્યું હતું કે, જેટલા પણ ફાસ્ટ બોલર્સ છે, એ દરેકના એક મોટા ભાઇ પણ છે. આ બોલર્સ એટલા માટે ફાસ્ટ હોય છે કારણ કે, મોટા ભાઇ તેમને ક્યારેય બેટિંગ નથી કરવા દેતા.

કીકૂ શારદાની સફાઇ
જો કે, ચોરીના આરોપ અને વિવાદ બાદ કીકૂ શારદાએ આ અંગે સફાઇ પણ આપી હતી. કીકૂ શારદાએ કહ્યું કે, અમે દરેક લોકોના જોકનો હિસાબ ન રાખી શકીએ. પરંતુ કીકૂની આ સ્પષ્ટતા બાદ મામલો શાંત થવાની જગ્યાએ વધી ગયો છે.
અભિજીતને લોકો ભાંડી રહ્યાં છે ગાળો
બીજી બાજુ સોશિયલ મીડિયા પર કપિલ શર્માના ફેન્સ અભિજીતને ગાળો ભાંડી રહ્યાં છે. તેણે આ અંગે પોતાના વીડિયોમાં જાણકારી આપી છે. તેણે કહ્યું છે કે, કપિલ શર્માના ફેન્સ મને ગાળો આપી રહ્યાં છે. મારી પત્ની યૂટ્યૂબ પરથી ગાળો ડીલિટ કરી રહી છે. આ વીડિયોમાં અભિજીતે કપિલ શર્માના ફેન્સની ખૂબ મજાક ઉડાવી છે.

અહીં વાંચો
બાહુબલી હવે હિંદુઓની ફિલ્મ બની ચૂકી છે. આ ફિલ્મ સાથે ધર્મ ક્યારે અને કઇ રીતે જોડાઇ ગયો એ લોકોને પણ નથી સમજાઇ રહ્યું.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ











Click it and Unblock the Notifications
