For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અનીતાએ કહ્યું કે, ચાલબાજ નથી એટલે થઇ બિગ બોસમાંથી આઉટ!

|
Google Oneindia Gujarati News

રાજેશ ખન્નાની લિવ ઇન પાર્ટનર રહી ચૂકેલી અનીતા અડવાણી આ અઠવાડિયે શનિવારે દર્શાવવામાં આવેલા એલિમિનેશન દરમિયાન બિગ બોસના ઘરમાંથી બહાર થઇ ગઇ. અનીતા અડવાણીએ ઘરની બહાર ગયા બાદ કહ્યુ કે, તે બિગ બોસના ઘરમાં એટલા માટે વધારે દિવસ રહી શકી નહીં કારણ કે બિગ બોસના ઘરમાં હાજર બાકી સભ્યોની જેમ તે ચાલબાજ અને રાજકારણ કરનારી નથી. અનીતાએ કહ્યું કે તેમણે બિગ બોસના ઘરની અંદર એટલા માટે લાવવામાં આવી હતી, કારણ કે બિગ બોસની મેનેમેન્ટ ટીમને લાગ્યુ હતુ કે અનીતા આવવાથી બિગ બોસને ફાયદો મળશે, કારણ કે અનીતા અડવાણી અને રાજેશ ખન્નાના લિવ ઇન રિલેશનશીપને લઇને લોકો ઉત્સુકતા દર્શાવશે.

પરંતુ અફસોસ કે અનીતાને બિગ બોસના ઘમાં આવવાથી કોઇ ફાયદો થયો નહીં, અનીતા એ દર્શકોનું મનોરંજન કરવામાં કોઇ રસ દાખવ્યો નહીં અને ત્રીજા નોમિનેશનમાં ઘરની બહાર થઇ ગઇ. અનીતાએ બહાર આવીને કહ્યું કે, તેમનુ બહાર આવવાનું કારણ એ હતુ કે તેમને ચાલબાજી અને રાજકારણ કરતા નથી આવડતું. જેવું કે બિગ બોસના ઘરમાં હાજર બીજા લોકો કરે છે. તેવામાં સ્વાભાવિક છે કે અનીતા બહાર થવાની જ હતી કારણ કે બિગ બોસના ઘરમાં એ જ લોકો ટકી શકે છે જે દર્શકોનું મનોરંજન કરી શકે છે.

anita-advani-eliminated-bigg-boss
અનીતા અડવાણી સાથે બીગ બોસમાંથી બહાર થવા માટે ગૌહર, એલી અરામ, એન્ડી અને આસિફ અજીમ નોમિનેટ થયા હતા. આખરે એલી અને અનીતા જ બચ્યા અને અનીતાને સૌથી ઓછા વોટ મળવાના કારણે બિગ બોસના ઘરમાંથી બહાર કરી દેવામાં આવી, જો કે, અનીતાએ ઘરની અંદર ક્યારેક એન્ડી સાથે તો ક્યારેક શિલ્પા સાથે વાતો કરતા પોતાના અને રાજેશ ખન્નાના સંબંધોને લઇને વાતો કરતી, જેથી દર્શકો સાંભળવામાં રસ દાખવે. અનીતાએ અક્ષય કુમાર અને રાજેશ ખન્નાની પત્ની ડિંપલની પણ ટીકા કરી, તેમ છતાં દર્શકોને કોઇ મજા આવી નહીં.

English summary
anita advani eliminated bigg boss 7 says i am not manipulative
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X