અનીતાએ કહ્યું કે, ચાલબાજ નથી એટલે થઇ બિગ બોસમાંથી આઉટ!
રાજેશ ખન્નાની લિવ ઇન પાર્ટનર રહી ચૂકેલી અનીતા અડવાણી આ અઠવાડિયે શનિવારે દર્શાવવામાં આવેલા એલિમિનેશન દરમિયાન બિગ બોસના ઘરમાંથી બહાર થઇ ગઇ. અનીતા અડવાણીએ ઘરની બહાર ગયા બાદ કહ્યુ કે, તે બિગ બોસના ઘરમાં એટલા માટે વધારે દિવસ રહી શકી નહીં કારણ કે બિગ બોસના ઘરમાં હાજર બાકી સભ્યોની જેમ તે ચાલબાજ અને રાજકારણ કરનારી નથી. અનીતાએ કહ્યું કે તેમણે બિગ બોસના ઘરની અંદર એટલા માટે લાવવામાં આવી હતી, કારણ કે બિગ બોસની મેનેમેન્ટ ટીમને લાગ્યુ હતુ કે અનીતા આવવાથી બિગ બોસને ફાયદો મળશે, કારણ કે અનીતા અડવાણી અને રાજેશ ખન્નાના લિવ ઇન રિલેશનશીપને લઇને લોકો ઉત્સુકતા દર્શાવશે.
પરંતુ અફસોસ કે અનીતાને બિગ બોસના ઘમાં આવવાથી કોઇ ફાયદો થયો નહીં, અનીતા એ દર્શકોનું મનોરંજન કરવામાં કોઇ રસ દાખવ્યો નહીં અને ત્રીજા નોમિનેશનમાં ઘરની બહાર થઇ ગઇ. અનીતાએ બહાર આવીને કહ્યું કે, તેમનુ બહાર આવવાનું કારણ એ હતુ કે તેમને ચાલબાજી અને રાજકારણ કરતા નથી આવડતું. જેવું કે બિગ બોસના ઘરમાં હાજર બીજા લોકો કરે છે. તેવામાં સ્વાભાવિક છે કે અનીતા બહાર થવાની જ હતી કારણ કે બિગ બોસના ઘરમાં એ જ લોકો ટકી શકે છે જે દર્શકોનું મનોરંજન કરી શકે છે.