OMG: કોમેડિયન ભારતી સિંહની તબિયત છે ખૂબ જ ખરાબ!
કોમેડિયન ભારતીની તબિયત લથડી. ડોક્ટરોએ તેને તરત જ ઓપરેશન કરવાની સલાહ આપી પણ ભારતીનું કહ્યું ના જાણો શું છે કારણ.
નચ બલિયે 8 ભારતી સિંહ માટે લકી સાબિત નથી થયો તેવું લાગે છે. કારણ કે પહેલા તો આ શો દરમિયાન તેમના મંગેતર હર્ષને પગમાં ઇજા થઇ ગઇ જેના કારણે પાછળથી તે આ શો છોડીને જતા રહ્યા અને હવે જ્યારે આ શોના ફાઇનલમાં તે બન્ને એક ડાન્સ કરવાના હતા ત્યારે જ કોમેડિયન ભારતીની તબિયત લથડી પડી. પાછલા કેટલાક દિવસથી પેટની ફરિયાદનું કહેતી ભારતીને અચાનક જ મુંબઇની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. અને ડોક્ટરે જે નિદાન કર્યું છે તે જોઇને પણ લાગી રહ્યું છે ભારતીની મુશ્કેલીઓ આવનારા સમયમાં પણ વધશે જ ના માનવામાં આવતું તો આગળ વાંચો આ....
|
ભારતીની તબિયત લથડી
બધાને હસાવતી જાણીતી કોમેડિયન ભારતીની તબિયત હાલ નાજુક છે. નચ બલિયા 8ના ફાઇનલ માટે પ્રેક્ટિસ કરતી ભારતીને હાલ કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. અહીં ડોક્ટરોએ તેની સ્થિતિ ગંભીર જણાવીને તેને આરામ કરવાની સલાહ આપી છે. ઉલ્લેખનીય છે કે ભારત કેટલાક દિવસથી પેટના દુખાવાથી પીડાતી હતી અને પાછળથી દુખાવો વધતા તેને કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

શું છે કારણ?
ડોક્ટરોએ ભારતીનું જે નિદાન કર્યું છે તે મુજબ ભારતીને ગોલ બ્લેડર સ્ટોનના કારણે પેટમાં દુખાવો થતો હતો. અને ડોક્ટરોએ ભારતીને સલાહ આપી છે કે તે જલ્દી જ ઓપરેશન કરીને ગોલ્ડ બ્લેડર નીકાળી દે નહીં તો તેની મુશ્કેલીઓ આવનારા સમયમાં વધી શકે છે.

ભારતીએ કહ્યું, ના
જો કે ભારતી નચ બલિયે 8ના ગ્રાન્ડ ફિનાલેમાં ભાગ લેવા વધુ ઉત્સુક છે પણ ડોક્ટરોના કહેવા મુજબ હાલ તે સારવાર હેઠળ છે. જો કે ભારતી હોસ્પિટલમાં છે તે વાત જાણીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક લોકો તેને મળવા ઉમટી પડ્યા હતા. અને તેના ફેન્સે પણ ભારતીને શુભેચ્છાઓ પાઠવી હતી.

ભારતી અને નચ બલિયે
તે વાત તો બધા જ જાણે છે કે કોમેડિયન ભારતીને નાચવાનો જબરો શોખ છે. અને નચ બલિયા જેવા રિયાલીટી શોમાં ભારતીએ એટલા માટે જોડાવાનું નક્કી કર્યું હતું કે તે નાચવા સાથે જ પોતાના મંગેતર જોડા થોડા સમય પણ ફાળવી શકે પણ નચ બલિયાના આ અનુભવ ભારતીને ભારે પડ્યો હોય તેવું લાગે છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
