Excl : નચ બલિયેમાં સાનિયા-શોએબ બોલાવાતાં લોકો દુઃખી
મુંબઈ, 19 ડિસેમ્બર : જ્યારથી જાણવા મળ્યું છે કે સ્ટાર પ્લસના ચર્ચિત ડાંસ રિયલિટી શોમાં સાનિયા મિર્ઝા અને શોએબ મલિક આવવાનાં છે, ત્યારથી લોકોમાં ખુશીની લહેરના સ્થાને નારાજગી વ્યાપી ગઈ છે.
વનઇન્ડિયાના વાચકોએ આ અંગે ગુસ્સો જાહેર કર્યો છે. કેટલાંક લોકોએ તો આ સમાચાર બાદ પ્રત્યાઘાત આપ્યાં છે કે સાનિયા મિર્ઝાએ આ શોમાં ન આવવું જોઇએ, કારણ કે તેમણે લગ્ન બાદ કોઈ વિક્રમ સ્થાપિત નથી કર્યું. અહીં સુધી કે તેમની રમત પણ અસરગ્રસ્ત થઈ છે. તેથી શો સંચાલકોએ તેમનો પ્રોગ્રામમાં સમાવેશ કરવો જોઇએ નહીં.
નોંધનીય છે કે સ્ટાર પ્લસના જાણીતા ડાંસ રિયલિટી શો નચ બલિયે 5માં આ વખતે પાકિસ્તાની વહુ સાનિયા મિર્ઝા પોતાના શૌહર શોએબ મલિક સાથે થનગનતાં નજરે પડશે. આ અંગે શોના મૅનેજરે મીડિયાને જણાવ્યું કે સાનિયા-શોએબ માત્ર શોના બે-ત્રણ એપિસોડમાં જ દેખાશે અને તે પણ એક મહેમાન તરીકે. સાનિયા-શોએપ પ્રોગ્રામમાં આવવાની જાહેરાત આજે કરી દેવાઈ.
નચ બલિયે 5નું પ્રસારણ 29મી ડિસેમ્બરથી સ્ટાર પ્લસ ઉપર થશે. આ શોના જજોમાં બૉલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી, ફિલ્મ દિગ્દર્શક સાજિદ ખાન તથા નૃત્ય દિગ્દર્શક ટેરેંસ લેવિસનો સમાવેશ થાય છે. નચ બલિયેની છેલ્લી ચાર સીઝનો ઘણી લોકપ્રિય રહી હતી. તેવામાં આ વખતે પણ શો હિટ રહેવાની આશા સેવાઈ રહી છે, પરંતુ સાનિયા-શોએબના નામથી લોકો આ રીતે નારાજ થઈ ગયાં છે. જોઇે શોના શા હાલ થાય છે?