ઇન્ડિયન આઇડોલ 2 સંદીપ આચાર્યનું નિધન, લોકો સ્તબ્ધ!
મુંબઈ, 16 ડિસેમ્બર : એક ખૂબ જ દુઃખદ સમાચાર સંગીત અને ટેલીવિઝન દુનિયા માટે આવ્યાં છે. રવિવારે ભારતે પોતાનો ઇન્ડિયન આઇડોલ 2 કાયમ માટે ગુમાવી દીધો. જી હા, અમે વાત કરીએ છીએ ઇન્ડિયન આઇડોલ સંદીપ આચાર્યનું કે જેમનું રવિવારે ગુડગાંવ ખાતેની વેદાંત હૉસ્પિટલમાં નિધન થઈ ગયું. તેઓ માત્ર 29 વર્ષના હતાં.
સંદીપના લગ્ન એક વરસ અગાઉ જ થયા હતાં અને હજી 17 દિવસ પહેલા જ તેમના પત્નીએ નાનકડી બાળકીને જન્મ આપ્યો હતો, પરંતુ વિધાતાને કદાચ કંઇક ઓર જ મંજૂર હતું. સંદીપ આચાર્ય તેવા ભાગ્યશાળી લોકોમાંના એક હતાં કે જેમને અમેરિકામાં પૉપ પાયલ માયકલ જૅક્સનના પરિવાર સામે ગાવાની તક મળી હતી. તેમણે વિદેશોમાં 15 કરતા વધુ સ્ટે શો કર્યા હતાં.
સંદીપ આચાર્યના આકસ્મિત મોતે દરેકને સ્તબ્ધ કરી દીધાં છે. સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ઉપર સંદીપના ફૅન્સે તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે. સંગીતના આ હોનહાર ઉપાસકના નિધનથી વનઇન્ડિયા પરિવાર પણ બહુ દુઃખી છે. વનઇન્ડિયા પરિવાર પણ સંદીપના આત્માની શાંતિ અર્થે ઈશ્વરને પ્રાર્થના કરે છે.