કરણ ઉપર ફિદા છે ‘બૅચલરેટ ઇન્ડિયા’ મલ્લિકા શેરાવત
મુંબઈ, 23 એપ્રિલ : મર્ડર ગર્લ મલ્લિકા શેરાવત આજકાલ બૉલીવુડના જાણીતા નિર્માતા-દિગ્દર્શક કરણ જૌહર ઉપર ફિદા છે. વિશ્વાસ નથી થતો આપને? પરંતુ આ સાચુ છે કે મલ્લિકા શેરાવત આજકાલ કરણ જૌહરના વખાણ કરતાં નથી થાકતાં.
એક સમારંભમાં મૅડમે તો અહીં સુધી જણાવી દીધું કે તેમની સાથે લગ્ન માટે જો કોઈ યોગ્ય હોય, તો તે કોઈ બીજું નહીં, પણ બૉલીવુડના ડૅશિંગ સ્માર્ટ પ્રોડ્યુસર કરણ જૌહર જ છે. તેથી કરણ જૌહર જો તેમને પ્રપોઝ કરે, તો તેઓ પુનઃ લગ્ન અંગે વિચારી શકે છે.
મલ્લિકા શેરાવત કદાચ એટલે બિંદાસ્ત ગર્લ ગણાય છે. એક બાળકના માતા અને ડાઇવૉર્સી હોવા છતાં મલ્લિકાએ થોડાંક દિવસ અગાઉ જણાવ્યુ હતું કે તેઓ લગ્નમાં વિશ્વાસ નથી ધરાવતાં, પરંતુ કદાચ કરણ જૌહરની લગ્ન તેમજ પ્રેમ વિષયક ફિલ્મો જોઈ તેમનું વિચાર એકદમથી બદલાઈ ગયું છે. એટલે જ તો તેમણે જાહેરમાં પોતાના માટે કરણ જૌહરને બેસ્ટ જાહેર કર્યાં.
ખેર કરણ જૌહર તો તેમની સાથે લગ્ન કરવાના નથી. હા એટલું જરૂર થઈ શકે કે કરણની ફિલ્મમાં મલ્લિકાને કામ જરૂર મળી જાય, કારણ કે એવું મનાય છે કે કરણ જૌહરને વખાણ ખૂબ પસંદ છે.
મલ્લિકા શેરાવત હાલ ધ બૅચલરેટ ઇન્ડિયા મેરે ખ્યાલોં કી મલિકા નામના ટેલીવિઝન રિયલિટી શોને હોસ્ટ કરવા જઈ રહ્યાં છે. આ શો લાઇફ ઓકે ચૅનલ ઉપર ટુંકમાં જ શરૂ થનાર છે.