કલર્સ પર આજથી ધૂમ મચાવશે નૌટંકી : ધ કૉમેડી થિયેટર
મુંબઈ, 2 ફેબ્રુઆરી : ટેલીવિઝન ચૅનલ કલર્સ પર આજ રાતથી કૉમેડીનો મહારિયલિટી શો શરૂ થવા જઈ રહ્યો છે. શોનું નામ છે નૌટંકી : ધ કૉમેડી થિયેટર. ચૅનલનો દાવો છે કે આ શો લાફ્ટર ચૅલેંજ કરતાં પણ વધુ હિટ રહેશે. આ શોમાં ત્રણ જજિસ છે. તેમાં નેહા ધુપિયા, એવરગ્રીન જમ્પિંગ બૉય જિતેન્દ્ર તથા તેમના પુત્ર અભિનેતાર તુષાર કપૂરનો સમાવેશ થાય છે.

આજે રાત્રે નૌ વાગ્યાથી આ કૉમેડી શોની મજા માણી શકાશે. આ શોમાં ટેલીવિઝન તેમજ બૉલીવુડની દુનિયાના ચર્ચિત ચહેરાઓ દેખાશે. હિન્દી ફિલ્મોમાં વિલન તરીકે જાણીતા રણજીત પણ લાંબાગાળા બાદ મંચ ઉપર દેખાશે, તો રશ્મિ દેસાઈ, બિગ બૉસ 6 ફેમ ઇમામ સિદ્દીકી, કૉમેડી કિંગ રાજૂ શ્રીવાસ્તવનો અંદાઝ પણ જોવા મળશે.
શોના હોસ્ટ નેહા ધુપિયાએ આ અંગે જણાવ્યું કે લોકોને હસાવવું ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ મુશ્કેલ કામ કરવામાં તેમને મજા પડે છે. તેથી જ તેઓ કૉમેડી શો માટે તૈયાર થયાં. નેહાને લાગે છે કે તેમનો શો નૌટંકી : ધ કૉમેડી થિયેટર જરૂર હિટ થશે. કૉમેડી ફિલ્મ બાદ નેહા ટુંકમાં જ કરણ જૌહરની ઉંગલી ફિલ્મમાં પણ દેખાશે. નૌટંકીનું પ્રસારણ 2જી ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહ્યું છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
