તેલુગુ ફિલ્મોના પ્રખ્યાત નિર્માતા મહેશ કોનેરુનું નિધન
મનોરંજન જગતમાંથી સતત આવતા ખરાબ સમાચારો અટકવાનું નામ નથી લઈ રહ્યા. હવે મંગળવારના રોજ તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે.
મુંબઈ : મનોરંજન જગતમાંથી સતત આવતા ખરાબ સમાચારો અટકવાનું નામ નથી લઈ રહ્યા. હવે મંગળવારના રોજ તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. તેલુગુ ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક મહેશ કોનેરુનું મંગળવારના રોજ આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં તેમના નિવાસસ્થાને નિધન થયું હતું. ડોક્ટર્સના જણાવ્યા મુજબ, મહેશ કોનેરુનું મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયું હતું. આ દુઃખદ સમાચાર બાદ ટોલીવુડ અને બોલિવૂડ સહિતની ઘણી હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો છે.
|
જુનિયર એનટીઆરએ આપી માહિતી
તેલુગુ ફિલ્મના સુપરસ્ટાર અભિનેતા જુનિયર એનટીઆરએ મહેશ કોનેરુને ટેગ કરીને એક ટ્વીટ કરીને તેમના મૃત્યુ પર શોક વ્યક્ત કરતા શ્રદ્ધાંજલિ આપી છે. તેણેલખ્યું, 'વિશ્વાસ નથી થતો, મારે તમને ભારે હૃદયથી કહેવું છે કે, મારા પ્રિય મિત્ર મહેશ કોનેરુ હવે આ દુનિયામાં નથી રહ્યા. હું આ સમાચારથી આઘાત પામ્યો છું, તેનાપરિવાર અને પ્રિયજનો પ્રત્યે મારી દિલથી સંવેદના. જુનિયર એનટીઆરના ટ્વીટ પર ચાહકો પણ મહેશને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
આઘાતમાં તેલુગુ ફિલ્મ ઉદ્યોગ
તેલુગુ ફિલ્મ ઉદ્યોગના પ્રખ્યાત ફિલ્મ દિગ્દર્શક મહેશ કોનેરુના નિધન બાદ તેલુગુ ફિલ્મ ઉદ્યોગ આઘાતમાં છે. ફિલ્મી હસ્તીઓ સાથે ચાહકો પણ સોશિયલ મીડિયા પરમહેશ માટે શોક વ્યક્ત કરી રહ્યા છે.
નિર્માતા-દિગ્દર્શક મહેશ કોનેરુએ કીર્તિ સુરેશ અભિનિત મિસ ઇન્ડિયા, સભાકુ નમસ્કારમ અને થિમારુસુ અને પોલીસ વારી હિચરીકાજેવી ઘણી ફિલ્મો આપી છે. મહેશ અને જુનિયર એનટીઆર ખૂબ સારા મિત્રો હતા.
પત્રકારમાંથી બન્યા હતા ફિલ્મ નિર્માતા
મહેશે ફિલ્મી પત્રકાર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે ટૂંક સમયમાં પબ્લિસિસ્ટ બન્યો અને 'કાંચે' અને બાહુબલી શ્રેણી જેવી તેલુગુ બ્લોકબસ્ટર માટે માર્કેટિંગસ્ટ્રેટેજિસ્ટ તરીકે કામ કર્યું હતું. કોનેરુએ જુનિયર એનટીઆર અને તેના ભાઈ કલ્યાણ રામ માટે પબ્લિસિસ્ટ તરીકે પણ કામ કર્યું હતું. અભિનેત્રીઓ રાશી ખન્ના અને રકુલપ્રીત સિંહે પણ મહેશ કોનેરુના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
સેલિબ્રિટીઝ વ્યક્ત કરી રહ્યા છે શોક
રકુલ પ્રીત સિંહે લખ્યું, ઓહ નો... ભગવાન તેમના આત્માને શાંતિ આપે, અને તેમના પરિવારને હિંમત આપે. આ ખૂબ જ દુઃખદ છે. અભિનેતા કલ્યાણમ નંદામુરીએલખ્યું કે, આઘાત લાગ્યો અને તે માનવામાં નથી આવતું. જે માણસ મિત્ર, પરિવાર અને શુભેચ્છક હતો, તે હવે આ દુનિયામાં નથી રહ્યો.
મહેશ કોનેરુ ભલે ગમે તેટલાનોબેકબોન હોય, પણ વ્યક્તિગત રીતે અને સમગ્ર ઉદ્યોગ માટે આ એક મોટું નુકસાન છે. તેના નજીકના લોકો માટે હિંમત.