Mirzapur Season 3: રિલીઝ પહેલા જ લીક થઈ મિર્ઝાપુર 3ની કહાની, જાણો શું થશે આ સીરિઝમાં
Mirzapur Season 3 Story: પ્રખ્યાત વેબ સિરીઝ મિર્ઝાપુરના ત્રીજા ભાગની રિલીઝની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે, આ રાહ ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે. પ્રખ્યાત ક્રાઈમ-થ્રિલર વેબ સિરીઝ 'મિર્ઝાપુર'ની ત્રીજી સીઝન સ્ટ્રીમિંગ માટે તૈયાર છે.
બદલો લેવાની અને સત્તા પર કબજો કરવાની આ વાર્તા વર્ષ 2018 માં મિર્ઝાપુરની પ્રથમ સીઝનથી શરૂ થઈ હતી. આ વેબ સિરીઝમાં પંકજ ત્રિપાઠી, અલી ફઝલ જેવા દમદાર કલાકારો રાતોરાત દરેક ઘરમાં પોપ્યુલર થઈ ગયા હતા. આ શ્રેણીએ ભારતમાં માફિયા-થીમ આધારિત વેબ સિરીઝ માટે એક અલગ ઓળખ ઊભી કરી હતી.

'મિર્ઝાપુર 3' વેબ સિરીઝ આવતીકાલે એટલે કે 5મી જુલાઈ 2024ના રોજ OTT પ્લેટફોર્મ Amazon Prime Video પર રિલીઝ થશે. આ વખતે પંચાયત સચિવજી એટલે કે જીતેન્દ્ર કુમાર પણ સિરીઝમાં કેમિયો કરતા જોવા મળશે. જોકે, સિરીઝની સ્ટોરી રિલીઝ પહેલા જ લીક થઈ ગઈ છે.
તમને જણાવી દઈએ કે 'મિર્ઝાપુર'ની ત્રીજી સીઝન આવતીકાલે એટલે કે 5મી જુલાઈ 2024થી સ્ટ્રીમ થશે, પરંતુ તે પહેલા જ લોકોએ સોશિયલ મીડિયા પર તેની સ્ટોરીની ચર્ચા શરૂ કરી દીધી છે. મળતી માહિતી મુજબ, 'મિર્ઝાપુર'ની બીજી સિઝનમાં અભિનેતા દિવ્યેન્દુ શર્મા દ્વારા ભજવવામાં આવેલા સૌથી પ્રિય પાત્રોમાંથી એક મુન્ના ત્રિપાઠીના મૃત્યુથી દર્શકોને ચોંકાવી દીધા હતા.
ગુડ્ડુ (અલી ફઝલ) અને ગોલુ (શ્વેતા ત્રિપાઠી શર્મા)એ કાલીન ભૈયાને મારવાનો પ્રયાસ કર્યો, ત્યારબાદ તેણે ભાગીને પોતાનો જીવ બચાવ્યો. જ્યારે કાલીન ભૈયાની પત્ની રસિકા દુગ્ગલ અને નજીકના સહયોગી મકબૂલે બાઉજીની હત્યા કરી હતી. બાઉજીનું પાત્ર કુલભૂષણ ખરબંદાએ ભજવ્યું હતું. આ સાથે દાદા (લિલીપુટ), ભરત (વિજય વર્મા) અને મામા (શ્રીકાંત વર્મા) પણ ગોળીબારમાં માર્યા ગયા હતા.
શ્રેણીની બીજી સીઝનમાં, મુન્ના ત્રિપાઠી મૃત્યુ પામે છે પરંતુ કાલિન ભૈયા બચી જાય છે. હવે તે ગુડ્ડુ અને બીના ત્રિપાઠીની મદદથી પૂર્વાંચલની ગાદી પર કબજો કરશે. આ સિઝનમાં ગુડ્ડુનું પતન પણ જોવા મળશે કારણ કે પાવર સૌથી હોંશિયાર લોકોને પણ આંધળો કરી નાખે છે. તે જ સમયે, કાલીન ભૈયાની વાપસી પણ આ બદલાની ગાથામાં સત્તા પરિવર્તનનો સંકેત આપે છે. વેબ સિરીઝની આ સીઝનના નિર્દેશક ગુરમીત સિંહ અને આનંદ અય્યર છે.
'મિર્ઝાપુર 3'ના ટ્રેલર મુજબ, આ સિઝનમાં બીજી સિઝનના ઘણા કલાકારો જોવા મળશે. ટ્રેલરમાં અલી ફઝલ, શ્વેતા ત્રિપાઠી શર્મા, રસિકા દુગ્ગલ, વિજય વર્મા, પંકજ ત્રિપાઠી, હર્ષિતા ગૌર, પ્રિયાંશુ પૈન્યુલી, રાજેશ તૈલાંગ, ઈશા તલવાર, અંજુમ શર્મા અને શીબા ચઢ્ઢા જોવા મળે છે. આ સિવાય અલી ફઝલે પુષ્ટિ કરી છે કે 'પંચાયત 3'ના સેક્રેટરી એટલે કે જિતેન્દ્ર કુમાર પણ શોમાં કેમિયો કરશે. પ્રથમ અને બીજી સિઝનની જેમ આ વખતે પણ મિર્ઝાપુર 3માં 10 એપિસોડ હશે. દરેક એપિસોડ 45 મિનિટથી વધુ લાંબો હશે.
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
