અમદાવાદ સીરિયલ બ્લાસ્ટના આરોપીઓની સજા અંગે આજે કોર્ટમાં સુનાવણી, 49ને જાહેર કર્યા છે દોષિત
અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસમાં દોષિત જાહેર કરાયેલા આરોપીઓની સજા માટે આજે સુનાવણી થશે.
અમદાવાદઃ અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસમાં દોષિત જાહેર કરાયેલા આરોપીઓની સજા અંગે કોર્ટે મૌખિક અવલોકન કર્યુ હતુ. સજાના હુકમ માટે આજે સુનાવણી થશે. અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ 2008 કેસમાં મંગળવારે ફેબ્રુઆરીના રોજ સ્પેશિયલ કોર્ટે ચુકાદો સંભળાવ્યો હતો જેમાં કુલ 77માંથી 49 આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય 28 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે 9 ફેબ્રુઆરીના રોજ સ્પેશિયલ કોર્ટમાં સુનાવણી દરમિયાન તમામ આરોપીઓને કોર્ટમાં લાવ્યા બાદ બંને પક્ષે કોર્ટ સમક્ષ દલીલો કરી હતી. બચાવ પક્ષે સજાની જાહેરાત માટે ત્રણ અઠવાડિયાની મુદત માંગી હતી. જેની સામે કોર્ટે કહ્યુ કે એવી કઈ જોગવાઈ છે બતાવો. બચાવ પક્ષે રજૂઆત કરી હતી કે દોષિતોને સુધરવાનો અવકાશ આપવામાં આવે. આરોપીઓની શૈક્ષણિક લાયકાત, તેમની પારિવારિક સ્થિતિ, મેડિકલ પુરાવા રજૂ કરવા માટે સમય આપવામાં આવે.
પ્રોસિક્યુશન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે દોષિતોએ જધન્ય ગુનો કર્યો હતો અને માટે તેમને મહત્તમ સજા થવી જોઈએ. પ્રોસિક્યુશન દ્વારા રાજીવ ગાંધી હત્યા કેસના ચુકાદાનો કોર્ટમાં રેફરન્સ આપવામાં આવ્યો હતો અને રજૂઆત કરી હતી કે વાલ્મિકીઓ રોજ નથી થતા કે જેમનામાં સુધારાનો અવકાશ હોય. આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ, સુરંગ કાંડ જેવી બાબતો પણ કોર્ટે ધ્યાનમાં લેવી જોઈએ.












Click it and Unblock the Notifications
