Ahmedabad: અમદાવાદથી અયોધ્યાઃ 4 ટ્રેન રદ, 4 ટ્રેન ડાઈવર્ટ કરાઈ
Ahmedabad: ઉત્તર પ્રદેશના લખનઉ ડિવિઝનમાંથી મુસાફરી કરી રહેલા મુસાફરો માટે મહત્વના સમાચાર છે. રેલવેએ આ રૂટ પર જતી લગભગ 16 ટ્રેનો રદ્દ કરી છે. આ ઉપરાંત 26 જેટલા વાહનોને પણ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં, જો તમે પણ આગામી થોડા દિવસોમાં આ રૂટ પર મુસાફરી કરવાનું વિચારી રહ્યાં છો, તો સૌથી પહેલા ટ્રેનની સ્થિતિ તપાસી લેવી જરૂરી છે.
ઉત્તર રેલવે દ્વારા એક રિલીઝમાં જણાવવામાં આવ્યું છે કે, સામાન્ય લોકોની માહિતી માટે, સૂચના આપવામાં આવે છે કે, લખનઉ ડિવિઝન પર બારાબંકી-અયોધ્યા કેન્ટ-શાહગંજ-ઝફરાબાદ સેક્શન પર શાહગંજ સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગ કામ માટે ટ્રાફિક બ્લોકને કારણે, કેટલીક ટ્રેનો અસ્થાયી રૂપે અટકાવવામાં આવી છે. આ સિવાય ઘણી ટ્રેનોને અન્ય રૂટ પર ડાયવર્ટ કરવામાં આવી છે.

ઉત્તર રેલવેના લખનઉ મંડળમાં બારાબંકી-અયોધ્યા કેન્ટ-શાહગંજ-ઝફરાબાદ સ્ટેશનો વચ્ચેના ડબર્લિંગના કામને પગલે બારાબંકી યાર્ડ રિમોડલિંગના કામને કારણે અમદાવાદ મંડળ સહિતની ટ્રેનો પ્રભાવિત થઇ છે.
જેમાં ટ્રેન મુઝફ્ફરપુરથી સાબરમતી આવતી જન સાધારણ સાપ્તાહિક એક્સપ્રેસ 14 ડિસેમ્બરથી 13 જાન્યુઆરી 2024 વચ્ચે રદ્દ અને ટ્રેન ગોરખપુરથી ઓખા આવતી જતી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન 14 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી 2024 સુધી રદ્દ રહેશે.
આ કામગીરીને પગલે ટ્રેન અમદાવાદ-ગોરખપુર દ્વિ સાપ્તાહિક એક્સપ્રેસ, ઓખા-ગુવાહાટી દ્વારકા એક્સપ્રેસ અને પોરબંદર-મુઝફ્ફરપુર મોતિહારી એક્સપ્રેસ આંશિક રીતે ડાઇવર્ટ કરવામાં આવેલા રૂટ પર દોડશે.
આ વચ્ચે 18 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી 2024 સુધી દરભંગાથી ચાલતી ટ્રેન દરભંગા-અમદાવાદ સાપ્તાહિક વિશેષ ટ્રેન 30 મિનિટ રેગુલેટ થશે.












Click it and Unblock the Notifications
