થાઈ લાયન એરે શરૂ કરી અમદાવાદ-બેંગકોક ડાયરેક્ટ ફ્લાઈટ
Ahmedabad to Bangkok flight: થાઈ લાયન એર દ્વારા અમદાવાદ અને બેંગકોક વચ્ચે સીધી ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
એરલાઈન 15 ઓગસ્ટથી અઠવાડિયામાં ચાર વખત અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ (SVPI) એરપોર્ટથી બેંગકોકના ડોન મુઆંગ ઈન્ટરનેશનલ એરપોર્ટની સીધી ફ્લાઈટનું સંચાલન કરશે.

નોંધનીય બાબત છે કે, ફ્લાઇટ SL 213 SVPI એરપોર્ટથી 23:40 કલાકે ઉપડશે, અને મંગળવાર, ગુરુવાર, શનિવાર અને રવિવારે ઓપરેટ કરીને 05:30 કલાકે બેંગકોક પહોંચશે.
ઉલ્લેખનીય છે કે, ફ્લાઈટ SL 212 બેંગકોકથી 19:55 કલાકે ઉપડશે, અને અમદાવાદમાં 22:40 કલાકે ઉતરશે, જે મંગળવાર, ગુરુવાર, શનિવાર અને રવિવારે પણ ઓપરેટ થશે.
આ નવા વધારાથી અમદાવાદથી બેંગકોકની ડાયરેક્ટ ફ્લાઈટ્સની કુલ સંખ્યા વધીને પાંચ થઈ જશે.












Click it and Unblock the Notifications
