For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CM ભૂપેન્દ્ર પટેલે જૈનાચાર્ય રત્નસુંદરસૂરીશ્વરજી સાથે મુલાકાત કરી આશીર્વાદ મેળવ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૈનાચાર્ય રત્નસુંદરસૂરિશ્વરજી સાથે સૌજન્ય મુલાકાત કરી હતી અને આશીર્વાદ મેળવ્યા હતા.

|
Google Oneindia Gujarati News

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે આજે અમદાવાદમાં જૈનાચાર્ય શ્રી રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ જૈનાચાર્ય શ્રી રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

bhupendra patel

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે અમદાવાદ ખાતે પરમ પૂજ્ય આચાર્ય રત્નસુંદરસૂરિશ્વરજી મહારાજ સાહેબને વંદન કરી તેમના આશીર્વાદ મેળવવાનુ સૌભાગ્ય પ્રાપ્ત થયુ. શ્રી રત્નસુંદરસૂરીશ્વરજી એ વાસક્ષેપ કરી મુખ્ય મંત્રીશ્રીને આશીર્વચન પાઠવ્યા હતા.

તમને જણાવી દઈએ કે અમદાવાદમાં જીઆઈડીસી ગ્રાઉન્ડમાં 15 જાન્યુઆરીથી જૈન સમાજનો સૌથી મોટો સ્પર્શ મહોત્સવ શરુ થશે. પદ્મભૂષણ વિભૂષિત આચાર્ય રત્નસુંદરસુરીશ્વરજી મહારાજ સાહેબના 400માં પુસ્તક વિમોચન કાર્યક્રમ સંદર્ભે આ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આમાં દસ લાખ લોકોને આમંત્રણ આપવામાં આવ્યુ છે.

English summary
CM Bhupendra Patel met and blessed Jain acharya Ratnasundersuriswarji
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X