વલસાડમાં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ મશાલ રેલીનું આયોજન
સમગ્ર દેશ અમૃત મહોત્સવ આઝાદી કા ઉજવી રહ્યો છે. ત્યારે, વલસાડમાં પણ સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ ભવ્ય મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. વલસાડમાં નવો ઈતિહાસ લખવામાં આવશે. આઝાદીના આગલા દિવસે જે માહોલ હતો તેવો આબેહુબ
સમગ્ર દેશ અમૃત મહોત્સવ આઝાદી કા ઉજવી રહ્યો છે. ત્યારે, વલસાડમાં પણ સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ ભવ્ય મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. વલસાડમાં નવો ઈતિહાસ લખવામાં આવશે. આઝાદીના આગલા દિવસે જે માહોલ હતો તેવો આબેહુબ માહોલ 14 ઓગસ્ટના રોજ રાત્રે બનાવવામાં આવશે અને સાથે મશાલ રેલી પણ કાઢવામાં આવશે.

દેશને આઝાદી મળ્યાને 75 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન હેઠળ તારીખ 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી દરેક ઘરે તિરંગા લહેરાવો અભિયાન ચાલી રહ્યુ છે. ત્યારે, 1947માં 14 મી ઓગસ્ટના રોજ જે રીતે આઝાદીનો ઉત્સવ ઉજવાયો હતો તેનું આબેહુબ પુનરાવર્તન નિમિત્તે આ વર્ષે 14 ઓગસ્ટે આઝાદ ચોક, વલસાડ ખાતે રાત્રે 8-30 કલાકે એક મશાલ યાત્રાનું આયોજન કરાયું છે, જેમાં વલસાડના નાગરિકો ભારત માતા કી જયના નારા સાથે વાતાવરણમાં એક નવો ઉત્સાહ ભરશે. હાલમાં આ કાર્યક્રમમાં વલસાડની વિવિધ સંસ્થાઓ પણ જોડાઈ રહી છે. 14 મી ઓગસ્ટના રાત્રે 12 કલાકે રેલી કાઢીને યુવાનોને આઝાદીનું મહત્વ અને દેશ પ્રત્યેની ફરજો સમજાવવાનો પ્રયાસ કરાશે.આ મશાલ રેલીમાં જોડાવા માટે નગરજનોને કેસરી, સફેદ અને લીલો પહેરવેશ ધારણ કરીને જોડાવા આહ્વાન કરવામાં આવ્યું છે.
-
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
હૂમાયુ કબીર વિડિયો વિવાદ બાદ AIMIM એ AJUP સાથેનું ગઠબંધન તોડ્યું -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
પુડુચેરી વિધાનસભા ચૂંટણીમાં 9.50 લાખ મતદારો સાથે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું












Click it and Unblock the Notifications
