વલસાડમાં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ મશાલ રેલીનું આયોજન
સમગ્ર દેશ અમૃત મહોત્સવ આઝાદી કા ઉજવી રહ્યો છે. ત્યારે, વલસાડમાં પણ સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ ભવ્ય મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. વલસાડમાં નવો ઈતિહાસ લખવામાં આવશે. આઝાદીના આગલા દિવસે જે માહોલ હતો તેવો આબેહુબ
સમગ્ર દેશ અમૃત મહોત્સવ આઝાદી કા ઉજવી રહ્યો છે. ત્યારે, વલસાડમાં પણ સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ ભવ્ય મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. વલસાડમાં નવો ઈતિહાસ લખવામાં આવશે. આઝાદીના આગલા દિવસે જે માહોલ હતો તેવો આબેહુબ માહોલ 14 ઓગસ્ટના રોજ રાત્રે બનાવવામાં આવશે અને સાથે મશાલ રેલી પણ કાઢવામાં આવશે.

દેશને આઝાદી મળ્યાને 75 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન હેઠળ તારીખ 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી દરેક ઘરે તિરંગા લહેરાવો અભિયાન ચાલી રહ્યુ છે. ત્યારે, 1947માં 14 મી ઓગસ્ટના રોજ જે રીતે આઝાદીનો ઉત્સવ ઉજવાયો હતો તેનું આબેહુબ પુનરાવર્તન નિમિત્તે આ વર્ષે 14 ઓગસ્ટે આઝાદ ચોક, વલસાડ ખાતે રાત્રે 8-30 કલાકે એક મશાલ યાત્રાનું આયોજન કરાયું છે, જેમાં વલસાડના નાગરિકો ભારત માતા કી જયના નારા સાથે વાતાવરણમાં એક નવો ઉત્સાહ ભરશે. હાલમાં આ કાર્યક્રમમાં વલસાડની વિવિધ સંસ્થાઓ પણ જોડાઈ રહી છે. 14 મી ઓગસ્ટના રાત્રે 12 કલાકે રેલી કાઢીને યુવાનોને આઝાદીનું મહત્વ અને દેશ પ્રત્યેની ફરજો સમજાવવાનો પ્રયાસ કરાશે.આ મશાલ રેલીમાં જોડાવા માટે નગરજનોને કેસરી, સફેદ અને લીલો પહેરવેશ ધારણ કરીને જોડાવા આહ્વાન કરવામાં આવ્યું છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
