Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

વલસાડમાં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ મશાલ રેલીનું આયોજન

સમગ્ર દેશ અમૃત મહોત્સવ આઝાદી કા ઉજવી રહ્યો છે. ત્યારે, વલસાડમાં પણ સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ ભવ્ય મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. વલસાડમાં નવો ઈતિહાસ લખવામાં આવશે. આઝાદીના આગલા દિવસે જે માહોલ હતો તેવો આબેહુબ

સમગ્ર દેશ અમૃત મહોત્સવ આઝાદી કા ઉજવી રહ્યો છે. ત્યારે, વલસાડમાં પણ સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ ભવ્ય મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. વલસાડમાં નવો ઈતિહાસ લખવામાં આવશે. આઝાદીના આગલા દિવસે જે માહોલ હતો તેવો આબેહુબ માહોલ 14 ઓગસ્ટના રોજ રાત્રે બનાવવામાં આવશે અને સાથે મશાલ રેલી પણ કાઢવામાં આવશે.

Valsad

દેશને આઝાદી મળ્યાને 75 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન હેઠળ તારીખ 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી દરેક ઘરે તિરંગા લહેરાવો અભિયાન ચાલી રહ્યુ છે. ત્યારે, 1947માં 14 મી ઓગસ્ટના રોજ જે રીતે આઝાદીનો ઉત્સવ ઉજવાયો હતો તેનું આબેહુબ પુનરાવર્તન નિમિત્તે આ વર્ષે 14 ઓગસ્ટે આઝાદ ચોક, વલસાડ ખાતે રાત્રે 8-30 કલાકે એક મશાલ યાત્રાનું આયોજન કરાયું છે, જેમાં વલસાડના નાગરિકો ભારત માતા કી જયના નારા સાથે વાતાવરણમાં એક નવો ઉત્સાહ ભરશે. હાલમાં આ કાર્યક્રમમાં વલસાડની વિવિધ સંસ્થાઓ પણ જોડાઈ રહી છે. 14 મી ઓગસ્ટના રાત્રે 12 કલાકે રેલી કાઢીને યુવાનોને આઝાદીનું મહત્વ અને દેશ પ્રત્યેની ફરજો સમજાવવાનો પ્રયાસ કરાશે.આ મશાલ રેલીમાં જોડાવા માટે નગરજનોને કેસરી, સફેદ અને લીલો પહેરવેશ ધારણ કરીને જોડાવા આહ્વાન કરવામાં આવ્યું છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X