બજેટ સત્રના પહેલા દિવસે કોંગ્રેસ વિધાનસભાનો ઘેરાવ કરશે, જાણો શું છે માંગ?
ગુજરાત વિધાનસભાનું આગામી બજેટ સત્ર 16 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહ્યું છે. આ સત્રના પ્રથમ દિવસે જ વિપક્ષ કોંગ્રેસે સરકારને ઘેરવા માટે ગાંધીનગર કૂચનું એલાન આપ્યું છે.

નાણામંત્રી કનુ દેસાઈ 18 ફેબ્રુઆરીના રોજ વર્ષ 2026-27નું રાજ્યનું અંદાજપત્ર રજૂ કરશે. આ મહત્વપૂર્ણ દિવસો દરમિયાન કોંગ્રેસ સત્યાગ્રહ છાવણી ખાતે એક વિશાળ જાહેર સભા પણ યોજવાની છે.
કોંગ્રેસ દ્વારા ખેડૂતોની દેવા માફી અને SIR (સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન) ની કામગીરી અંગે વિરોધ કરાશે. રાજ્યમાં વધતી બેરોજગારી અને ડ્રગ્સના દૂષણ મુદ્દે પણ વિપક્ષ સરકાર પર આકરા પ્રહાર કરશે.
આ વિરોધ પ્રદર્શનમાં જોડાવા માટે રાજ્યભરમાંથી કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ગાંધીનગર ઉમટી પડશે. આ લડતમાં યુથ કોંગ્રેસ અને NSUI ના સભ્યો પણ સક્રિયપણે ભાગ લેવાના છે.












Click it and Unblock the Notifications
