ચાર વાવાઝોડાં અને કમોસમી વરસાદને કારણે ગુજરાતી ખેડૂતોને 8000 કરોડનું નુકસાન

ચાર વાવાઝોડાં અને કમોસમી વરસાદને કારણે ગુજરાતી ખેડૂતોને 8000 કરોડનું નુકસાન

ગાંધીનગરઃ કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે ગુજરાતના ખેડૂતોએ ભારે નુકસાન વેઠવું પડ્યું છે. ખેડૂતોને નુકસાનનું વળતર આપવા માટે રાજ્ય સરકારે 700 કરોડના પેકેજનું એલાન કર્યું છે, જે 2 લાખથી વધુ ખેડૂતોને વળતર તરીકે આપવામાં આવશે. પરંતુ કોંગ્રેસ અને કિસાન સંગઠન સરકારના આટલા ઓછા પેકેજથી નારાજ છે. પ્રદેશના ખેડૂત સંગઠનોનું કહેવું છે કે 18 જિલ્લામાં પાકને નુકસાન થયું છે. ખેડૂતોના પાકનું નુકસાન 8 હજાર કરોડથી પણ વધુ છે. એવામાં સરકારી પેકેજ ઉંટના મોઢામાં ઝીરો સમાન છે. સંગઠનના પદાધિકારીઓનું કહેવું છે કે રાજ્ય સરકારનું પેકેજ પર્યાપ્ત નથી. ખેડૂતોને કેન્દ્ર સરકાર તરફથી પણ પેકેજ મળવું જોઈએ.

ચાર ચાર વાવાઝોડાં અને ભારે વરસાદથી નુકસાન

ચાર ચાર વાવાઝોડાં અને ભારે વરસાદથી નુકસાન

રાજ્યમાં ભારે વરસાદ, આંધી-તોફાનના કારણે પાકને ભારે નુકસાન થયું છે. સમુદ્રથી ઉઠેલ ચાર-ચાર વાવાઝોડાને કારણે ખેતરોમાં કરા પણ વરસ્યા. રાજસ્થાનમાં પણ કરાવૃષ્ટિ થઈ હતી. હવામાન વિભાગ મુજબ રાજ્યમાં માવઠાનો 9 ટકા વરસાદ થયો છે. અગાઉ વાયુ ચક્રવાતના પ્રભાવના કારણે મધ્ય જૂનમાં ચોમાસાના આગમન પહેલા રાજ્યમાં 5 ટકા વરસાદ થયો હતો. જે બાદ ત્રણ વાવાઝોડા આવ્યાં જેનાથી 4 ટકા જેટલો વરસાદ થયો.

ગુજરાતમાં આ વર્ષે 146 ટકા વરસાદ થયો

ગુજરાતમાં આ વર્ષે 146 ટકા વરસાદ થયો

ચોમાસાની ઋતુમાં આ વખતે 146 ટકા વરસાદ થયો, જે ત્રણ દશકામાં ત્રીજો સૌથી વધુ વરસાદ નોંધાયો છે. ગુજરાત રાહત કમિશનર કચેરીથી મળેલ જાણખારી મુજબ રાજ્યમાં અત્યાર સુધીમાં 146.04 ટકા વરસાદ થયો છે જે 1191.72 મિમી રહ્યો. આ પાછલા ત્રણ દશકામાં કોઈપણ વર્ષમાં રાજ્યમાં ત્રીજો સૌથી વધુ વરસાદ છે. 1245 મિની ઉચ્ચતમ વરસાદનો રેકોર્ડ 1994નો છે અને આ સંબંધમાં બીજો સૌથી વધુ વરસાદ 2006માં થયો હતો જ્યારે કુલ 1223 મિમી વરસાદ નોંધાયો હતો.

72 જળાશય છલકાયાં

72 જળાશય છલકાયાં

રાજ્યના કુલ 33માંથી 22 જિલ્લામાં 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો. કેટલાક જિલ્લામાં તો વરસાદની ટકાવારી 110 ટકાથી પણ વધુ રહી. એટલું જ નહિ, ભયંકર વરસાદને પગલે રાજ્યના 72 જળાશય પાણીથી લબોલબ ભરાઈ ગયાં છે. ઉરાંત સરદાર સરોવર ડેમમાં 97 ટકાથી વધુ જળ સંગ્રહ પણ થઈ ગયો છે.

વરસાદથી 9700 નદીઓ વહેતી થઈ

વરસાદથી 9700 નદીઓ વહેતી થઈ

મળતી માહિતી મુજબ રાજ્યની વિવિધ નદીઓમાં બે વર્ષોમાં સંગ્રહ ક્ષમતામાં 23553 લાખ ઘનફીટનો વધારો થયો છે. એટલું જ નહિ, અહીંના 9700 તળાવો પણ માત્ર વરસાદી પાણીથી જ છલકાઈ ગયાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X