Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ખેડામાં મુસ્લિમ પુરૂષોને ડંડાથી માર મારવા બદલ 4 પોલીસકર્મી દોષિત, 14-દિવસની જેલ

ગુજરાત હાઈકોર્ટે આજે 4 ગુજરાત પોલીસ અધિકારીઓને અદાલતની અવમાનના (સુપ્રીમ કોર્ટ ડી. કે. બાસુ માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરવા બદલ) દોષિત ઠેરવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ઓક્ટોબરમાં ખેડા જિલ્લામાં મુસ્લિમ વ્યક્તિને જાહેરમાં દંડાથી માર મારવા બદલ 14 દિવસની સાદી કેદની સજા ફટકારી હતી.

આરોપીના વકીલ દ્વારા આદેશ સામે અપીલ દાખલ કરવાની વિનંતીને પગલે સજાના હુકમ પર ત્રણ મહિના માટે રોક લગાવવામાં આવી છે.

caning Muslim men in Kheda

જસ્ટિસ એએસ સુપેહિયા અને જસ્ટિસ ગીતા ગોપીની ખંડપીઠે પણ ટિપ્પણી કરી હતી કે, કોર્ટને આવા આદેશ આપતા દુઃખ થઇ રહ્યું છે. આવી ઘટના સાંખી લેવામાં આવશે નહીં.

જસ્ટિસ એએસ સુપેહિયા અને જસ્ટિસ ગીતા ગોપીની બેચે પણ ટિપ્પણી કરી હતી કે, કોર્ટ એ વાતથી ખુશ નથી કે, આવા દિવસો આવી ગયા છે, જ્યારે તેમને અધિકારીઓને સાદી કેદમાંથી પસાર થવાનું કહેતા આવા આદેશો પસાર કરી રહી છે. દરેક પોલીસ અધિકારીઓ પર કોર્ટે રૂપિયા 2000નો દંડ પણ ફટકાર્યો છે. જે ભરવામાં નિષ્ફળ જવા પર તેઓએ વધુ 3 દિવસની જેલ ભોગવવી પડશે.

આ અગાઉ, 4 ઓક્ટોબરના રોજ હાઈકોર્ટે લોકલ ક્રાઈમ બ્રાન્ચના ઈન્સ્પેક્ટર (એ.વી. પરમાર), સબ ઈન્સ્પેક્ટર (ડી.બી. કુમાવત), હેડ કોન્સ્ટેબલ (કનકસિંહ લક્ષ્મણસિંહ) અને એક કોન્સ્ટેબલ (રાજુ રમેશભાઈ ડાભી) સામે તિરસ્કારના આરોપો ઘડવાનો આદેશ પસાર કર્યો હતો. જે બાદ 16 ઓક્ટોબરે પીડિતાઓએ ચાર પોલીસકર્મીઓ પાસેથી નાણાંકીય વળતર સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.

આ અગાઉ ચાલુ વર્ષે જુલાઈમાં, હાઈકોર્ટે નડિયાદ સીજેએમને પેન ડ્રાઈવ અને ઘટના સંબંધિત વીડિયો સહિત અન્ય ઈલેક્ટ્રોનિક પુરાવાઓનું વિશ્લેષણ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

આરોપી પોલીસ અધિકારીઓ સામે તિરસ્કારની કાર્યવાહીની માંગ કરતી અસરગ્રસ્ત પરિવારના 5 સભ્યો દ્વારા કરવામાં આવેલી અરજીમાં આ નિર્દેશ જાહેર કરવામાં આવ્યો હતો. તિરસ્કારની અરજીમાં, એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, ગયા વર્ષે ખેડા જિલ્લાના માતર પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ દ્વારા પાંચ પીડિતોને માર મારવામાં આવ્યો હતો અને તેથી, તેઓએ પશ્ચિમ બંગાળના ડીકે બાસુ વિરુદ્ધ રાજ્યના કેસમાં જાહેર કરવામાં આવેલી કસ્ટોડિયલ ટોર્ચર સામે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કર્યું હતું.

ઉલ્લેખનીય બાબત છે કે, ખેડા જિલ્લાના માતર તાલુકામાં આવેલા ઉંધેલા ગામમાં કોમી અથડામણ બાદ પોલીસની કાર્યવાહી કથિત રીતે કરવામાં આવી હતી. એવો આરોપ છે કે, નવરાત્રીની ઉજવણી દરમિયાન કેટલાક ઘૂસણખોરોએ ભીડ પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં ઓછામાં ઓછા 40 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

આ અગાઉની સુનાવણીમાં, હાઈકોર્ટે રાજ્ય સરકારને પૂછ્યું હતું કે, શું કોઈ કાયદો પરવાનગી આપે છે કે, આરોપીને થાંભલા સાથે બાંધી શકાય અને સંપૂર્ણ જાહેરમાં મારપીટ કરી શકાય? આ વર્ષે જાન્યુઆરીમાં, ગુજરાત સરકારે હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, તેને ડંડા વડે માર મારવાના કેસમાં પ્રથમ દ્રષ્ટિએ એક પોલીસ ઈન્સ્પેક્ટર સહિત 5 પોલીસકર્મીઓને દોષિત ઠેરવ્યા છે.

નોંધનીય બાબત છે કે, અરજદારો તરફથી વરિષ્ઠ એડવોકેટ આઈએચ સૈયદ હાજર રહ્યા હતા. પોલીસ અધિકારીઓ તરફથી વરિષ્ઠ એડવોકેટ પ્રકાશ જાની હાજર રહ્યા હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X