Ambedkar Jayanti : ગાંધીનગર ખાતે 50 હજાર દલિતો અપનાવશે બૌદ્ધ ધર્મ, 5 લાખ લોકો લેશે ભાગ
Ambedkar Jayanti : આંબેડકર જયંતી એટલે કે, 14 એપ્રિલના રોજ સમગ્ર દેશમાં ડૉ. બાબાસાહેબની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવે છે. ગાંધીનગરમાં અત્યાર સુધીનું સૌથી મોટો ધર્માંતરણ સમારંભ યોજાવા જઈ રહ્યો છે.
જેમાં લગભગ 50 હજાર જેટલા દલિત હિન્દુ ધર્મનો ત્યાગ કરીને બુદ્ધના શરણે જશે. ગાંધીનગર રામકથા મેદાનમાં આ આયોજનમાં ગુજરાત વિવિધ ગામડાઓ, તાલુકા તથા શહેરમાંથી 5 લાખ જેટલા લોકો ભાગ લે તેવી સંભાવના છે.

સમારંભનું આયોજન સ્વયં સૈનિક દળ (SSD) નામના સંગઠન દ્વારા કરવામાં આવી રહ્યું છે. જે આ અવસર પર મહારેલી અને મહાસભાનું આયોજન કરશે. આવનારા સ્વયં સૈનિક દળ બૌદ્ધ ધર્મની દીક્ષા ગ્રહણ કરી બાબાસાહેબ આંબેડકર દ્વારા જણાવવામાં આવેલી 22 પ્રતિજ્ઞાઓનું પાલન કરવાનો સંકલ્પ લેશે.
વર્ષ 2006માં રાજકોટમાં 50 સમાન વિચારધારવાળા દલિત સામાજિક કાર્યકર્તા દ્વારા સ્થાપિત સ્વયં સૈનિક દળ, આ ભવ્ય સામૂહિક દીક્ષા સમારંભની તૈયારીમાં જોડાઇ ગયું છે. પોરબંદરમાં મહાન અશોક બૌદ્ધ વિહારના બૌદ્ધ ભિક્ષુ પ્રજ્ઞાન રત્નજી સમારંભની અધ્યક્ષતા કરશે અને હજારો લોકો આ કાર્યક્રમમાં ભાગ લેશે. SSDનું અનુમાન છે કે, 2028 સુધી દલિત સમુદાયના 1 કરોડ લોકો બૌદ્ધ ધર્મ અપનાવશે.
SSDના જણાવ્યા અનુસાર, લગભગ 15,000 લોકોએ પોતાના જિલ્લા કલેક્ટરના કાર્યાલયોમાં પહેલાથી જ ધર્મ પરિવર્તન માટે અરજી આપી દીધી છે. અરજીકર્તા કોઈ પણ લાલચ, લોભ અથવા ધમકીમાં આવીને નહીં પણ સ્વૈચ્છિક ધર્માંતરણનો વિકલ્પ પસંદ કરી રહ્યા છે. તે નક્કી કરવા માટે પોલીસ વેરિફિકેશનની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. ધર્મ પરિવર્તનની પ્રક્રિયામાં રાજ્યના ગજેટમાં વિવરણનું પ્રકાશન પણ સામેલ છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
