Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Ambedkar Jayanti : ગાંધીનગર ખાતે 50 હજાર દલિતો અપનાવશે બૌદ્ધ ધર્મ, 5 લાખ લોકો લેશે ભાગ

Ambedkar Jayanti : આંબેડકર જયંતી એટલે કે, 14 એપ્રિલના રોજ સમગ્ર દેશમાં ડૉ. બાબાસાહેબની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવે છે. ગાંધીનગરમાં અત્યાર સુધીનું સૌથી મોટો ધર્માંતરણ સમારંભ યોજાવા જઈ રહ્યો છે.

જેમાં લગભગ 50 હજાર જેટલા દલિત હિન્દુ ધર્મનો ત્યાગ કરીને બુદ્ધના શરણે જશે. ગાંધીનગર રામકથા મેદાનમાં આ આયોજનમાં ગુજરાત વિવિધ ગામડાઓ, તાલુકા તથા શહેરમાંથી 5 લાખ જેટલા લોકો ભાગ લે તેવી સંભાવના છે.

Ambedkar Jayanti

સમારંભનું આયોજન સ્વયં સૈનિક દળ (SSD) નામના સંગઠન દ્વારા કરવામાં આવી રહ્યું છે. જે આ અવસર પર મહારેલી અને મહાસભાનું આયોજન કરશે. આવનારા સ્વયં સૈનિક દળ બૌદ્ધ ધર્મની દીક્ષા ગ્રહણ કરી બાબાસાહેબ આંબેડકર દ્વારા જણાવવામાં આવેલી 22 પ્રતિજ્ઞાઓનું પાલન કરવાનો સંકલ્પ લેશે.

વર્ષ 2006માં રાજકોટમાં 50 સમાન વિચારધારવાળા દલિત સામાજિક કાર્યકર્તા દ્વારા સ્થાપિત સ્વયં સૈનિક દળ, આ ભવ્ય સામૂહિક દીક્ષા સમારંભની તૈયારીમાં જોડાઇ ગયું છે. પોરબંદરમાં મહાન અશોક બૌદ્ધ વિહારના બૌદ્ધ ભિક્ષુ પ્રજ્ઞાન રત્નજી સમારંભની અધ્યક્ષતા કરશે અને હજારો લોકો આ કાર્યક્રમમાં ભાગ લેશે. SSDનું અનુમાન છે કે, 2028 સુધી દલિત સમુદાયના 1 કરોડ લોકો બૌદ્ધ ધર્મ અપનાવશે.

SSDના જણાવ્યા અનુસાર, લગભગ 15,000 લોકોએ પોતાના જિલ્લા કલેક્ટરના કાર્યાલયોમાં પહેલાથી જ ધર્મ પરિવર્તન માટે અરજી આપી દીધી છે. અરજીકર્તા કોઈ પણ લાલચ, લોભ અથવા ધમકીમાં આવીને નહીં પણ સ્વૈચ્છિક ધર્માંતરણનો વિકલ્પ પસંદ કરી રહ્યા છે. તે નક્કી કરવા માટે પોલીસ વેરિફિકેશનની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. ધર્મ પરિવર્તનની પ્રક્રિયામાં રાજ્યના ગજેટમાં વિવરણનું પ્રકાશન પણ સામેલ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X