ગાંધીનગરમાં જનસંકપર્ક કાર્યક્રમ અનુસંધાનમાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે
મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યક્રમના અનુસંધાને, ગાંધીનગર જિલ્લાના પ્રજાજનોની ફરિયાદ કે પ્રશ્નોના નિરાકરણ માટે આગામી તા.૨૭/૦૪/૨૦૨૩ ના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યાથી શરૂ કરીને લોકો તરફથી મળેલ ફરિયાદ પ્રશ્નોના નિરાકરણ અંગે જિલ્લા કક્ષાએ કલેક્ટરશ્રી, ગાંધીનગરના અધ્યક્ષપણા હેઠળ કલેક્ટર કચેરી, ગાંધીનગર, સે.૧૧, પહેલા માળના સભાખંડમાં " જિલ્લા સ્વાગત કાર્યક્રમ" યોજવામાં આવશે. જિલ્લાની જાહેરજનતાને પોતાની ફરિયાદ કે પ્રશ્નો આ પ્રેસ નોટ આપ્યા તારીખથી ૧૦(દસ) દિવસમાં કલેક્ટર, ગાંધીનગરને મોકલી આપવા અનુરોધ કરવામાં આવે છે. ન્યાયની કોર્ટમા ચાલતા વિવાદ, મહેસુલી કોર્ટને લગતા પ્રશ્નો, સબ જ્યુડીશીયલ પ્રશ્નો, તથા નોકરીને લગતા પ્રશ્નો આ કાર્યક્રમમાં લક્ષમાં લેવામાં આવશે નહી. રજુ કરવામાં આવનાર પ્રશ્નોના કવર ઉપર "જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા.૨૭/૦૪/૨૦૨૩" એમ અચુક લખવા અને જિલ્લા સ્વાગત કાર્યક્રમના દિવસે અરજદારે ઉક્ત જણાવેલ સ્થળે સમયસર અચૂક હાજર રહેવા અનુરોધ કરવામાં આવે છે.













Click it and Unblock the Notifications
