ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની રાજકિય સફર પર એક નજર!
ગુજરાતમાં લાંબા સમયથી ચાલતી નેૃતૃત્વ પરિવર્તનની વાતોનો ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બનતા જ અંત આવ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રીનો તાજ ભુપેન્દ્ર પટેલના માથે મુકવામાં આવ્યો છે.
ગુજરાતમાં લાંબા સમયથી ચાલતી નેૃતૃત્વ પરિવર્તનની વાતોનો ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બનતા જ અંત આવ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રીનો તાજ ભુપેન્દ્ર પટેલના માથે મુકવામાં આવ્યો છે. ભુપેન્દ્ર પટેલ એક જમીન સાથે જોડાયેલા નેતા છે. 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં રેકોર્ડ લીડ સાથે તેમને આનંદીબેનની સીટને રિપ્લેસ કરી હતી. ભુપેન્દ્રસિંહ આનંદીબેન પટેલના નજીકના નેતા માનવામાં આવી રહ્યા છે.

સૌથી વધુ મતથી જીત મેળવનારા ધારાસભ્ય
ભુપેન્દ્ર પટેલ ગુજરાતની રાજનીતિમાં વખતે ચર્ચામાં આવ્યુ, જ્યારે 2017 ની ચૂંટણીમાં તેમને રેકોર્ડ બ્રેક જીત મેળવી હતી. ભુપેન્દ્ર પટેલ અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી 1.17 લાખની લીડ સાથે ચૂંટણી જીત્યા હતા. જો કે તેમ છત્તા તેમને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યુ ન હતું.

ભુપેન્દ્ર પટેલની રાજકિય સફર
1962 માં જન્મેલા ભુપેન્દ્રસિંહ સિવિલ એન્જિનિયરીંગમાં ડિપ્લોમા છે. ભુપેન્દ્રસિંહ પાટીદાર નેતા અને વિવાદો વગરનું નામ છે. તે સરદાર ધામ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી છે, એટલે કે પાટીદારોના પસંદગીના નેતા છે. ભુપેન્દ્રસિંહે મેમનગર નગરપાલિકના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહ્યા છે. ત્યારબાદ અમદાવાદ કોર્પોરેશનના સ્કૃલ બોર્ડના વાઈસ ચેરમેનની જવાબદારી પણ સંભાળી છે. આ ઉપરાંત 2010 થી 2015 સુધી તે અમદાવાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચુુક્યા છે. તે બાત 2015 થી 2017 સુધી તેમને ઔડાના ચેરમેન તરીકે સેવા આપી છે. ત્યારબાદ આનંદીબેનની જગ્યાએ તેમને ભાજપે ટીકીટ આપી અને 2017 માં પહેલી વખત ધારાસભ્ય બન્યા બાદ તે માત્ર 4 વર્ષમાં મુખ્યમંત્રી પદ પર પહોંચ્યા છે.

આનંદીબેન જુથ ફરીથી સત્તામાં
આનંદીબેન પટેલની વિદાય બાદ ગુજરાતની રાજનીતીમાં નબળુ પડેલુ આનંદીબેન જૂથ હવે ફરીથી સત્તામાં આવ્યું છે. આનંદીબેન પટેલની વિદાય બાદ ગુજરાતમાં પાટીદારો પણ ગુજરાતમાં ખફા હતા ત્યારે હવે પાટીદાર ચહેરો મુકીને ભાજપે મોટો મેસેજ આપી દીધો છે. પાટીદારોનો ગુસ્સો ઓછો થતાની સાથે આનંદીબેન જૂથનું ગુજરાતની રાજનીતિમાં પાછા ફરવું બહુ મોટા સંકેતો આપે છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
