વલસાડમાં 22 સપ્ટેમ્બરે સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે!
રાજ્યમાં નાગરિકોના ગ્રામ્ય કે તાલુકા કક્ષાના પ્રશ્નો અને ફરીયાદોનો અસરકારક અને ન્યાયિક રીતે ઉકેલ આવી શકે તે માટે મુખ્યમંત્રીએ “જિલ્લા સ્વાગત”, તાલુકા સ્વાગત" કાર્યક્રમ ચાલુ કર્યો હતો.
રાજ્યમાં નાગરિકોના ગ્રામ્ય કે તાલુકા કક્ષાના પ્રશ્નો અને ફરીયાદોનો અસરકારક અને ન્યાયિક રીતે ઉકેલ આવી શકે તે માટે મુખ્યમંત્રીએ “જિલ્લા સ્વાગત”, તાલુકા સ્વાગત" કાર્યક્રમ ચાલુ કર્યો હતો. જે અંતર્ગત સપ્ટેમ્બર-2022 માસના સ્વાગત કાર્યક્રમ હેઠળ અરજીઓ મંગાવવામાં આવી છે. સપ્ટેમ્બર માસનો તાલુકા સ્વાગત કાર્યક્રમ 21 સપ્ટેમ્બર બુધવારે તથા જિલ્લા સ્વાગત કાર્યક્રમ 22 સપ્ટેમ્બર ગુરૂવારે યોજાનાર છે.
આ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂઆત કરવા માંગતા અરજદારોએ પોતાના પ્રશ્નો અને રજૂઆતોના નિકાલ માટેની વિગતવાર અરજી જરૂરી આધાર પુરાવા સાથે 10 સપ્ટેમ્બર સુધીમાં સ્વિકારાશે. આ અરજીઓ પૈકી તાલુકા કક્ષાએ નિકાલ કરવા પાત્ર ગ્રામ/તાલુકાની અરજીઓની તાલુકા સ્વાગત કાર્યક્રમમાં મામલતદાર કચેરીમાં હાથ ધરાશે. જે દરમિયાન અરજદારોને જે તે મામલતદાર કચેરી દ્વારા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરવાની રહેશે.
જિલ્લા કક્ષાએ નિકાલ કરવા પાત્ર અરજીઓનો જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં રજૂ કરવા માંગતા અરજદારોએ પણ 10 તારીખ સુધીમાં અરજી કરવાની રહેશે. 22 સપ્ટેમ્બરે કલેકટર કચેરી, વલસાડ ખાતે અરજદારોએ સ્વાગત કાર્યક્રમમાં હાજર રહી રજૂઆત કરવાની રહેશે. ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં કોર્ટ કેસ, સબ જ્યુડીશીયલ બાબતો, માહિતી અધિકારી હેઠળની અરજીઓ, સેવાકીય બાબતો, કોઇ ખાતાની નિમણુંકની બાબતો, સર્વિસ મેટર અને અરજદારની સહી વગરની અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.