વલસાડમાં 22 સપ્ટેમ્બરે સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે!
રાજ્યમાં નાગરિકોના ગ્રામ્ય કે તાલુકા કક્ષાના પ્રશ્નો અને ફરીયાદોનો અસરકારક અને ન્યાયિક રીતે ઉકેલ આવી શકે તે માટે મુખ્યમંત્રીએ “જિલ્લા સ્વાગત”, તાલુકા સ્વાગત" કાર્યક્રમ ચાલુ કર્યો હતો.
રાજ્યમાં નાગરિકોના ગ્રામ્ય કે તાલુકા કક્ષાના પ્રશ્નો અને ફરીયાદોનો અસરકારક અને ન્યાયિક રીતે ઉકેલ આવી શકે તે માટે મુખ્યમંત્રીએ “જિલ્લા સ્વાગત”, તાલુકા સ્વાગત" કાર્યક્રમ ચાલુ કર્યો હતો. જે અંતર્ગત સપ્ટેમ્બર-2022 માસના સ્વાગત કાર્યક્રમ હેઠળ અરજીઓ મંગાવવામાં આવી છે. સપ્ટેમ્બર માસનો તાલુકા સ્વાગત કાર્યક્રમ 21 સપ્ટેમ્બર બુધવારે તથા જિલ્લા સ્વાગત કાર્યક્રમ 22 સપ્ટેમ્બર ગુરૂવારે યોજાનાર છે.

આ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂઆત કરવા માંગતા અરજદારોએ પોતાના પ્રશ્નો અને રજૂઆતોના નિકાલ માટેની વિગતવાર અરજી જરૂરી આધાર પુરાવા સાથે 10 સપ્ટેમ્બર સુધીમાં સ્વિકારાશે. આ અરજીઓ પૈકી તાલુકા કક્ષાએ નિકાલ કરવા પાત્ર ગ્રામ/તાલુકાની અરજીઓની તાલુકા સ્વાગત કાર્યક્રમમાં મામલતદાર કચેરીમાં હાથ ધરાશે. જે દરમિયાન અરજદારોને જે તે મામલતદાર કચેરી દ્વારા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરવાની રહેશે.
જિલ્લા કક્ષાએ નિકાલ કરવા પાત્ર અરજીઓનો જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં રજૂ કરવા માંગતા અરજદારોએ પણ 10 તારીખ સુધીમાં અરજી કરવાની રહેશે. 22 સપ્ટેમ્બરે કલેકટર કચેરી, વલસાડ ખાતે અરજદારોએ સ્વાગત કાર્યક્રમમાં હાજર રહી રજૂઆત કરવાની રહેશે. ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં કોર્ટ કેસ, સબ જ્યુડીશીયલ બાબતો, માહિતી અધિકારી હેઠળની અરજીઓ, સેવાકીય બાબતો, કોઇ ખાતાની નિમણુંકની બાબતો, સર્વિસ મેટર અને અરજદારની સહી વગરની અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે?









Click it and Unblock the Notifications
