For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાષ્ટ્રીય પાર્ટી બની AAP, આમ આદમી પાર્ટીને શું થશે ફાયદો?

અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી માત્ર 10 વર્ષની સફરમાં રાષ્ટ્રીય પક્ષોના ચુનંદા જૂથમાં જોડાઈ ગઈ છે. પરંતુ રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળ્યા બાદ AAPને શું ફાયદો થશે અને તેમના માટે રાજકારણની સફર કેટલી સરળ રહેશે. આ જાણવું પણ

|
Google Oneindia Gujarati News

અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી માત્ર 10 વર્ષની સફરમાં રાષ્ટ્રીય પક્ષોના ચુનંદા જૂથમાં જોડાઈ ગઈ છે. પરંતુ રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળ્યા બાદ AAPને શું ફાયદો થશે અને તેમના માટે રાજકારણની સફર કેટલી સરળ રહેશે. આ જાણવું પણ જરૂરી છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ની ચૂંટણીમાં શાનદાર જીત, હિમાચલ વિધાનસભા ચૂંટણીમાં શરમજનક હાર અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં માત્ર પાંચ બેઠકો બાદ આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મળ્યો છે.

Arvind Kejriwal
  • માત્ર 10 વર્ષની સફરમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પક્ષોના ચુનંદા જૂથમાં જોડાઈ ગઈ છે. પરંતુ રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળ્યા બાદ AAPને શું ફાયદો થશે અને તેમના માટે રાજકારણની સફર કેટલી સરળ રહેશે. આ જાણવું પણ જરૂરી છે.
  • આપને શું થશે ફાયદો?
  • રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો પ્રાપ્ત કર્યા પછી આમ આદમી પાર્ટીને એ ફાયદો થશે કે તેમના પક્ષનું ચૂંટણી ચિન્હ સાવરણી કાયમી બની જશે. હવે AAP પાસે સમગ્ર દેશમાં માત્ર એક જ ચૂંટણી ચિન્હ હશે.
  • રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મેળવ્યા પછી, આમ આદમી પાર્ટીના ઉમેદવારો હવે બેલેટ/EVMમાં ઉપર દેખાઈ શકશે.
  • આમ આદમી પાર્ટી દેશની રાજધાનીમાં ઓફિસ મેળવી શકશે.
  • અત્યાર સુધી આમ આદમી પાર્ટીને મતદાર યાદી મેળવવા માટે થોડા રૂપિયા ખર્ચવા પડતા હતા. પરંતુ હવે આમ આદમી પાર્ટીને દરેક રાજ્યમાં મફતમાં મતદાર યાદી મેળવવાનો અધિકાર રહેશે.
  • રાષ્ટ્રીય સ્તરે હવે આમ આદમી પાર્ટી પોતાની યાદીમાં 20થી વધુ સ્ટાર પ્રચારકોનો સમાવેશ કરી શકે છે. હવે આ સંખ્યા વધીને 40 થશે.
  • રાષ્ટ્રીય દરજ્જો મળ્યા બાદ આમ આદમી પાર્ટીને હવે રાષ્ટ્રીય સ્તરની ચૂંટણીમાં સામાન્ય લોકોને સંબોધવા માટે રેડિયો અને ટેલિવિઝન પર સમય મળશે.
  • આમ આદમી પાર્ટી માટે એક ફાયદો એ થશે કે રાષ્ટ્રીય દરજ્જો ધરાવતી પાર્ટીના અધ્યક્ષ સરકારી આવાસ મેળવવાને પાત્ર છે.
  • હવે રાષ્ટ્રીય દરજ્જો મેળવનાર પક્ષના નામાંકન પત્રમાં માત્ર એક પ્રસ્તાવકની જરૂર પડશે.

ઉલ્લેખનિય છેકે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ પાંચ બેઠકો મેળવીને બધાને ચોંકાવી દીધા છે. ભાજપની સુનામી અને તે પણ પીએમ મોદીના ગૃહ રાજ્યમાં, માત્ર 10 વર્ષ જૂની AAP પાર્ટી આ કરી શકી તે કોઈ ચમત્કારથી ઓછું નથી. જો કે આમ આદમી પાર્ટીએ જેમના પર દાવેદારી દાખવી તે મોટા ફેમસ ચહેરાઓ ઉમેદવારો હારી ગયા, પરંતુ પાંચ લો પ્રોફાઈલ ઉમેદવારોએ જીતનો ઝંડો લહેરાવ્યો છે.

English summary
AAP becomes Rashtriya Party, what will be the benefit of Aam Aadmi Party?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X