ઈશુદાન ગઢવીના ભરોસે ગુજરાતમાં 182 સીટ પર ચૂંટણી લડશે આપ!
ઈશુદાન ગઢવીના ભરોસે ગુજરાતમાં 182 સીટ પર ચૂંટણી લડશે આપ!
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. અહીં આવતાં જ અમદાવાદ એરપોર્ટ પર આમ આદમી પાર્ટીના કાર્યકરોએ તેમનું સ્વાગત કર્યું હતું. જે બાદ કેજરીવાલે પાર્ટીની પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું અને સાથે જ એલાન કર્યું હતું કે આપ ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાગ લેશે.

ગુજરાતમાં 2022માં ચૂંટણી થશે
આગેલા વર્ષે દેશના કેટલાય રાજ્યોમાં ચૂંટણી છે. જેમાં ઉત્તર પ્રદેશ, મણિપુર, ઉત્તરાખંડ અને ગુજરાત સામેલ છે. ગુજરાત ભાજપનો ગઢ છે. વિધાસભા ચૂંટણી સાથોસાથ અહીં લોકસભામાં પણ ભાજપનું પ્રભુત્વ છે. હવે કેજરીવાલે એલાન કર્યું કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પહેલી વાર તમામ 182 વિધાનસભા સીટ પર ચૂંટણી લડશે.

ગુજરાત વિધાનસભા
ગુજરાત વિધાનસભાની કુલ 182 સીટ છે. સરકારમાં રહેવા માટે ભાજપ પાસે 112નો આંકડો છે. ભાજપ 2002-03થી સતત ચૂંટણી જીતતું રહ્યું છે. કોંગ્રેસ પાસે 65 સીટ છે, જ્યારે અપક્ષ ઉમેદવારો પાસે 1 સીટ છે. બીટીપી પાસે 3, એનસીપી પાસે 2 અને બાકીની અન્યો પાસે છે. છેલ્લે ગુજરાતમાં 2017માં વિધાનસભા ચૂંટણી થઈ હતી. ત્યારે કોંગ્રેસે 77 સીટ જીતી હતી. જો કે, બાદમાં કોંગ્રેસ ટીટતી ચાલી ગઈ અને પેટા ચૂંટણી પણ હારી ગઈ. હવે આમ આદમી પાર્ટી પોતાનું બળ દેખાડશે.

ઈશુદાન ગઢવીને ખેસ પહેરાવ્યો
થોડા સમય પહેલાં વીટીવી ન્યૂજ ગુજરાતીના લોકપ્રિય પત્રકાર ઈશુદાન ગઢવીએ રાજીનામું આપી દીધું હતું, જે બાદથી જ તેઓ રાજકારણમાં પ્રવેશ કરશે તેવી અટકળો સેવાઈ રહી હતી. હવે આ અટકળો પર વિરામ લાગી ગયો છે. ખુદ અરવિંદ કેજરીવાલે ગુજરાત આવી ઈશુદાન ગઢવીને આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવ્યો છે. ત્યારે હવે આમ આદમી પાર્ટી દક્ષિણ ગુજરાતમાં ગોપાલ ઈટાલિયા અને સૌરાષ્ટ્રમાં ઈશુદાન ગઢવીને ટેકે જીતવાના ઉદ્દેશ્યથી ચૂંટણી અખાડામાં પ્રવેશવા માટે સજ્જ છે.












Click it and Unblock the Notifications
