પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશથી આવી ગુજરાતમાં વસેલા લોકોને મળશે ભારતીય નાગરિકતા
કેન્દ્ર સરકારે સોમવારે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી આવેલા લોકોને ભારતીય નાગરિકતા આપવાનો નિર્ણય કર્યો છે.
નવી દિલ્લીઃ કેન્દ્ર સરકારે સોમવારે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી આવેલા અને હાલમાં ગુજરાતના બે જિલ્લાઓમાં રહેતા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને નાગરિકતા અધિનિયમ, 1955 હેઠળ ભારતીય નાગરિકતા આપવાનો નિર્ણય કર્યો છે. વિવાદાસ્પદ નાગરિકતા સંશોધન અધિનિયમ, 2019 (CAA)ને બદલે નાગરિકતા અધિનિયમ, 1955 હેઠળ નાગરિકત્વ આપવાનુ પગલુ મહત્વપૂર્ણ છે.

CAA અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી આવતા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને ભારતીય નાગરિકત્વની પણ જોગવાઈ કરે છે. આ કાયદા હેઠળના નિયમો સરકાર દ્વારા હજુ સુધી બનાવવામાં આવ્યા નથી. તેથી અત્યાર સુધી કોઈને તેના હેઠળ નાગરિકતા આપવામાં આવી નથી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના મુજબ ગુજરાતના આણંદ અને મહેસાણા જિલ્લામાં રહેતા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને નાગરિકતા અધિનિયમ, 1955ની કલમ 5, કલમ 6 હેઠળ અને નાગરિકતા નિયમ 2009ની જોગવાઈઓ મુજબ ભારતના નાગરિક તરીકે રજીસ્ટ્રેશનની અનુમતિ આપવામાં આવશે અથવા તેમને દેશના નાગરિકનુ પ્રમાણપત્ર આપવામાં આવશે.
આ આદેશ ગૃહ મંત્રાલય દ્વારા 31 ઓક્ટોબરે નાગરિકતા અધિનિયમ 1955 હેઠળ જારી કરવામાં આવ્યો છે. આ આદેશ વિવાદાસ્પદ નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA), 2019 સાથે સંબંધિત નથી. ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આદેશમાં અધિકારીઓને આ દેશોના નાગરિકોને નાગરિકતા પ્રમાણપત્ર આપતી વખતે ભારત સરકારના તમામ નિયમોનુ પાલન કરવાનુ કહેવામાં આવ્યુ છે. નાગરિકતા આપવા માટેની અરજી ઓનલાઈન સબમિટ કરવાની રહેશે. આ પછી જે વ્યક્તિઓને નાગરિકતા આપવાની છે તેમના પરિવારનુ વેરિફિકેશન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવશે. સાથે જ તેની માહિતી કેન્દ્રીય એજન્સીઓને પણ આપવામાં આવશે.
ગૃહ મંત્રાલય દ્વારા 2016, 2018 અને 2021માં ગુજરાત, છત્તીસગઢ, રાજસ્થાન, હરિયાણા અને પંજાબના કેટલાક જિલ્લાઓને સમાન આદેશો આપવામાં આવ્યા હતા. આ આદેશ અનુસાર આ રાજ્યોના સંબંધિત જિલ્લાઓના કલેક્ટરને નાગરિકતા પ્રમાણપત્ર જાહેર કરવાની સત્તા આપવામાં આવી હતી. આ આદેશ હેઠળ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઓગસ્ટમાં અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે 40 પાકિસ્તાની હિન્દુઓને ભારતીય નાગરિકતા પ્રમાણપત્રો આપ્યા હતા. તમને જણાવી દઈએ કે 2017થી અમદાવાદ જિલ્લા દ્વારા 1,032 પાકિસ્તાનીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. ભારત સરકારના નિયમો મુજબ દેશની બહારના કોઈપણ વ્યક્તિને 8 આધાર પર ભારતીય નાગરિકતા આપવામાં આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
