અમદાવાદ: ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનો થયો વિરોધ, જાણો કેમ?
ચૂંટણીના ધમધમાટ વચ્ચે રાજ્યમાં ગુનાખોરી પ્રવૃત્તિ વધી. ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાના મત વિસ્તાર થઈ ચોરી અને લૂંટની ઘટના. આ અંગે વધુ વાંચો અહીં.
ચૂંટણીના ધમધમાટ વચ્ચે રાજ્યમાં ગુનાખોરી પ્રવૃત્તિ વધી રહી હોવાનું જાણવા મળ્યું છે. ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાના મત વિસ્તાર વટવા, રામોલ, વસ્ત્રાલ અને સીટીએમમાં છેલ્લા 15 દિવસ દરમિયાન ઘરફોડ ચોરી, લૂંટ, ખુન જેવા 15 થી વધારે ગંભીર ગુનાઓ નોંધવામાં આવ્યા છે. જેમાં કેટલાક લૂંટારુઓએ તો વસ્ત્રાલ માં ઘરમાં ઘુસી પરિવારના લોકોને માર મારીને લૂંટ કરી હતી. ઘરમાં ઘૂસી લૂંટારાઓ જો ચોરી કરી શકતા હોય તો આ વી પરિસ્થિતિમાં આ વિસ્તારોમાં કાયદા અને સુરક્ષા મામલે મોટા સવાલો ઊભા થાય છે. આ કારણે જ આ વિસ્તારના સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

રોષે ભરાયેલા લોકોએ બુધવારે રાતના સમયે પ્રદીપસિંહ જાડેજાના મતવિસ્તારમાં કેટલાક પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. આ પોસ્ટરમાં ગૃહ મંત્રી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે. જો કે, વહેલી સવારે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા આ પોસ્ટર્સ ઉતારી લેવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા લોકોએ વિવિધ વિસ્તારમાં ચક્કાજામ કરી પોલીસ સામે પણ વિરોધ વ્યક્ત કર્યો હતો.
-
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ







Click it and Unblock the Notifications
