અમદાવાદ ફાયર વિભાગે 11 વર્ષમાં સાબરમતી નદીમાંથી 500થી વધુ લોકોના જીવ બચાવ્યા
અમદાવાદ ફાયર વિભાગ (Ahmedabad Fire Department) છેલ્લા 11 વર્ષથી સેવાનો પર્યાય બન્યો છે. તાજેતરમાં વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ (World Suicide Prevention Day) પર ફાયર વિભાગની અસાધારણ કામગીરી પ્રકાશિત થઈ.
અમદાવાદના ઇન્દિરા બ્રિજથી વાસણા બેરેજ સુધીના સાબરમતી નદીના પટમાં, ફાયર વિભાગના બહાદુર જવાનોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને 500થી વધુ લોકોના જીવ બચાવ્યા છે.

આત્મહત્યા જેવી દુ:ખદ ઘટનાને અટકાવવા માટે ફાયર વિભાગે માત્ર જીવ બચાવ્યા જ નથી, પરંતુ લોકોને નવજીવન પણ આપ્યું છે.
અમદાવાદ ફાયર વિભાગના ચીફ ઓફિસર અમિતભાઈ ડોંગરેએ જણાવ્યું કે, જવાનો તાત્કાલિક પ્રતિસાદ આપે છે અને કોઈપણ રીતે, પછી તે પાણીમાં કૂદીને હોય, દોરડા કે બોટની મદદથી હોય, કે પછી અન્ય ટેકનિકલ સાધનોનો ઉપયોગ કરીને, જીવન બચાવવા માટે સતત પ્રયાસ કરે છે. તેમની તાલીમ, ચપળતા, અને માનવતાની ભાવના સેંકડો જીવ બચાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.
ફાયર વિભાગ માત્ર તાત્કાલિક સેવાઓ પૂરતી મર્યાદિત નથી, પરંતુ સમાજમાં જાગૃતિ ફેલાવવાનું પણ કામ કરે છે. ડિવિઝનલ ફાયર ઓફિસર સ્વસ્તિક જાડેજાએ અપીલ કરતાં જણાવ્યું કે, આત્મહત્યા કોઈ સમસ્યાનો ઉકેલ નથી, જીવન અમૂલ્ય છે. મુશ્કેલીમાં ક્યારેય એકલા ન રહેવું, મદદ માંગવી, અને જીવન પ્રત્યે વિશ્વાસ રાખવો.
રિવર રેસ્ક્યૂ ટીમના સભ્ય ભરત માંગેલાએ જણાવ્યું કે, તેમની ટીમ સતત નદી કિનારે કે બ્રિજ પર આત્મહત્યાનો પ્રયાસ કરી રહેલા લોકોનું કાઉન્સેલિંગ કરે છે અને પરિવારજનોને જાણ કરે છે. આ પ્રયાસો માત્ર એક વ્યક્તિને બચાવતા નથી, પરંતુ આખા પરિવારને દુઃખમાંથી બહાર લાવે છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
