ગોકુલધામના રહીશો કુતરાના ત્રાસથી કંટાળી પોલીસ સ્ટેશન પર પહોચ્યા
કૂતરાઓનો ત્રાસ અમદાવાદની ગોકુલધામ સોસાયટી માટે બન્યો મોટો વિવાદ. જાણો શું છે આખો મામલો વિગતવાર અહીં
અમદાવાદના
શાંતીપુરા
સર્કલ
પાસે
આવેલા
અતિ
પોશ
ગણાતા
ગોકુલધામ
મેડોસમાં
રહેતા
100થી
વધારે
પરિવારો
હાલ
કુતરાના
ત્રાસના
કારણે
પરેશાની
ભોગવી
રહ્યા
છે.
કારણ
કે
મેડોસના
209
નંબરના
બંગલોમાં
રહેતા
દક્ષેશ
ખત્રી
અને
તેના
પરિવાર
દ્વારા
સોસાયટીમાં
ફરતા
સ્ટ્રીટ
ડોગને
બિસ્કીટ
અને
દૂધ
આપતા
હોવાથી
સોસાયટીમાં
હાલ
50
થી
વધારે
કૂતરા
થઇ
ગયા
છે.
જેથી
સોસાયટીના
ગાર્ડનમાં
કૂતરા
દ્વારા
ગંદકી
કરવામાં
આવી
રહી
છે.
જેથી
આ
મામલો
ચાંગોદર
પોલીસ
મથકે
પહોંચ્યો
છે.
બંગલો
નંબર
192માં
રહેતા
વિશાલ
કશ્યપ
કહે
છે
કે
209
નંબરમાં
રહેતા
દક્ષેશ
ખત્રીને
અમે
લોકો
સમજાવવા
માટે
ગયા
હતા
ત્યારે
દક્ષેશ
ખત્રીએ
સોસાયટીના
લોકો
સામે
ખોટો
પોલીસ
કેસ
કર્યો
છે
અને
પોલીસ
અમારુ
સાંભળતી
નથી.
અમારે
ત્યાં
રહેતા
લોકો
સોસાયટીના
ગાર્ડનમાં
વોકીંગ
પણ
નથી
શકતા
કારણ
કે
બગીચામાં
કુતરા
દ્વારા
ગંદકી
ફેલાવવામાં
આવેલી
હોય
છે
અને
તેની
સફાઇ
કરવામાં
મેઇન્ટેન્સ
સ્ટાફ
પણ
આનાકાની
કરે
છે.
મારા
પિતાજી
રાતના
સમયે
સોસાયટીમાં
ચાલવા
જાય
તો
કુતરાના
કરડવાના
ડર
રહે
છે.
બીજી તરફ બંગલો નંબર 159માં રહેતા પ્રતિમા જોષી કહે છે કે મારા ઘર પાસે કૂતરાને ભેગા કરીને બિસ્કીટ ખવડાવવા આવતા હોવાથી કૂતરા મારા ઘર પાસે એકઠા થઇ જતા મારા દીકરાના ઘરની બહાર નીકળવવાનું બંધ થઇ ગયુ છે. અને એક વાર ખત્રીએ ધમકી પણ આપી હતી. જ્યારે ડો. શીલ્પા કહે છે કે મારી દીકરી ભવ્યા પાછળ કૂતરા દોડ્યા હતા. જેથી તેને સામાન્ય ઇજા થઇ હતી. હવે મારી દીકરી ધરની બહાર નીકળી શકતી નથી. આ અંગે ચાંગોદર પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે વી રાઠોડ કહે છે કે આ મામલો સોસાયટીનો ખાનગી મામલો છે અને કૂતરાને જમવાનું આપવુ તે ગુનો નથી જેથી અમે કાર્યવાહી નથી કરી શકતા પણ આ મામલાનો જલ્દીથી ઉકેલ આવે તે માટે અમે પ્રયત્ન કરીએ છીએ.
દક્ષેશ ખત્રીનું નિવેદન
બીજી તરફ દક્ષેશ ખત્રીએ પોતાનું નિવેદન લખાવ્યું છે કે તે કૂતરાને બિસ્કીટ આપે છે તે ગુનો નથી અને આ કૂતરા તેના પાળેલા નથી. સોસાયટીના રહીશો તેને ખોટી રીતે પરેશાન કરી રહ્યા છે. જો કોઇ કૂતરાને મારશે તો એનીમલ ક્રુઆલીટી એક્ટ હેઠળ ગુનો બને છે. જેથી હું કેસ કરીશ. હાલ આ મામલે સોસાયટીના તમામ પરિવારો એકત્ર થઇને ન્યાય માટે લડી રહ્યા છે અને જરૂર પડ્યે ઉચ્ચ અધિકારીઓને પણ મળશે.