Ahmedabad plane crash : મૃતકના પરિવારે એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના તપાસ રિપોર્ટ પર સવાલ ઉઠાવ્યા
Ahmedabad plane crash : 12 જૂને અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઈટ AI-171 દુર્ઘટનાગ્રસ્ત બની હતી. આ દુર્ઘટનામાં કુલ 242 યાત્રીઓમાંથી 241 માર્યા ગયા હતા.
આ દુર્ઘટનામાં અમદાવાદના 19 વર્ષીય વિદ્યાર્થી સંકેત ગોસ્વામી પણ સામેલ હતો, જે લંડનમાં ભણવા જઈ રહ્યો હતો.

હવે સંકેતના પિતા અતુલ ગોસ્વામીએ વિમાન દુર્ઘટનાની તપાસ અંગે નારાજગી વ્યક્ત કરી છે અને તે ફરીથી સખત અને ઊંડાણભરી તપાસ કરવાની માગ ઉઠાવી છે. તેમનું કહેવું છે કે તે હાલ સુધી પણ આ દુઃખમાંથી બહાર આવી શક્યા નથી અને જાહેર કરાયેલ તપાસ રિપોર્ટથી સંતોષી શકાય તેમ નથી.
મીડિયા સાથે વાત કરતા અતુલ ગોસ્વામીએ કહ્યું કે, મારો પુત્ર માત્ર 19 વર્ષનો હતો. પરિવારનો સંપૂર્ણ આધાર તે જ હતો. તે ભણવા માટે લંડન જતો હતો, પરંતુ હવે આખું જીવન ખાલી લાગે છે. રિપોર્ટમાં સાચી વિગતો જણાતી નથી. અમારી માગ છે કે સરકાર સંપૂર્ણપણે ફરી તપાસ કરે અને જે લોકો જવાબદાર હોય તેમના વિરુદ્ધ કડક પગલાં લે.
એર ઇન્ડિયાની ફ્લાઈટ AI171 અમદાવાદથી લંડન માટે ઉડી ત્યારે માત્ર 90 સેકન્ડમાં વિમાના બંને એન્જિન બંધ થઈ ગયા હતા. ફ્લાઈટ ડેટા રેકોર્ડર અનુસાર, એન્જિનના ફ્યુઅલ કટઓફ સ્વીચ RUN સ્થિતીમાંથી CUTOFF પર ગયા હતા અને માત્ર એક સેકન્ડમાં આ બદલાવ થયો હતો. પાઇલટ વચ્ચે સંવાદ પણ નોંધાયો છે.
અહીં પ્રશ્ન ઊભો થાય છે કે એન્જિન આપમેળે કેમ બંધ થયા? Ram Air Turbine (RAT) ચાલુ થઈ હતી, પાઇલટે એન્જિન ફરી શરૂ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો, પણ બીજું એન્જિન પુરી રીતે રિસ્પોન્ડ ન કર્યુ. અંતે MAYDAY કોલ મોકલવામાં આવ્યો પણ વિમાન BJ મેડિકલ કોલેજના હોસ્ટેલની ઇમારત સાથે અથડાયું.
સંકેતના પિતાની જેમ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા અનેક પરિવારો સરકારને આવી દુર્ઘટનાઓના સચોટ જવાબ આપવા માટે દબાણ કરી રહ્યા છે. તેઓ તપાસ ફરીથી થાય એ માટે માંગ કરી રહ્યા છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
