અમદાવાદ ટ્રાફિક પોલીસ ટ્વિટર લાઈવથી ફરિયાદ નિવારણ કરશે
અમદાવાદ ના નાગરિકો ઓનલાઇન ફરિયાદ કરી શકે અને તાત્કાલિક નિવેડો પણ લાવી શકે તે માટે ટ્વિટર લાઈવનો નવતર પ્રયોગ શરૂ કર્યો છે.
અમદાવાદ શહેરમાં દિવસે ને દિવસે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ રહી છે ત્યારે અમદાવાદ ના નાગરિકો ઓનલાઇન ફરિયાદ કરી શકે અને તાત્કાલિક નિવેડો પણ લાવી શકે તે માટે ટ્વિટર લાઈવનો નવતર પ્રયોગ શરૂ કર્યો છે. જેમાં હવે અઠવાડિયા માં દરરોજ સાંજે 2 કલાક લાઈવ રહેશે જેમાં ટ્વિટર પર આવતી ફરિયાદો નું તાત્કાલિક નિરાકરણ લાવવવાનો પ્રયત્ન કરવામાં આવશે.

મંગળવારે સાંજે અમદાવાદ ટ્રાફીક પોલીસ ટ્વિટર પર બે કલાક લાઈવ થઈ હતી અને જેમાં 50 થી વઘુ ફરિયાદો મળી હતી જેનું નિરાકરણ લાવવવા માં આવ્યું હતું. આ માટે અમદાવાદ પોલીસે જણાવ્યું છે કે અમદાવાદ પોલીસના ટ્વિટર બે ટ્વિટર હેન્ડલ પર ફરિયાદ કરી શકાશે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસ દરમિયાન અમદાવાદ પોલીસ ટ્વિટર પર સક્રિય થઈ છે જેના કારણે હાલ માત્ર એક જ અઠવાડિયામાં બે હજાર જેટલા ફોલોઅર્સ નો નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે આગામી દિવસોમાં પોલીસ આ વ્યવસ્થા ને વધુ સારી રીતે અમલ માં મૂકી શકાય તેવુ આયોજન પણ કરી રહી છે.
આ ઉપરાંત અમદાવાદ ટ્રાફિક પોલીસના અધિકારીઓએ જણાવ્યું છે કે જો કોઈ ટ્રાફિક ની સમસ્યા ને લઈને 100 નંબર પર પણ કોલ કરી મદદ માંગશે તો પણ પ્રશ્ન નો નિવેડો લાવવામાં મદદ કરાશે.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા






Click it and Unblock the Notifications
