અમિત શાહ ગુજરાતના પ્રવાસે, પોતાના મત વિસ્તારમાં લોકાર્પણ અને ખાતમૂહૂ્રત કરશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથ મંદિરમાં સવારે ચાર વાગ્યે મંગળા આરતીમાં સહ સહભાગી થયા હતા. તેમની સાથે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથ મંદિરમાં સવારે ચાર વાગ્યે મંગળા આરતીમાં સહ સહભાગી થયા હતા. તેમની સાથે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. તેઓ પોાતના સંસદીય મંત વિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લાકાર્પણના કરશે.
અષાઢી બીજંના પાવન પર્વ નિમિતે કેન્દ્રીય મંત્રી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. ત્યારે આજે સવારે ભગવાન જગન્નાથની આરતી કરીને ધન્યતાનો અનુભાવ કર્યો હતો. આરતીમાં ભાગ લીધા બાદ તેમણે જણાવ્યુ હતુ કે, અમદાવાદ જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં સહભાગી બની મહાપ્રભુ જગન્નાથજીના આશીર્વાદ લીધા હતી. રથયાત્રાના શુભ પ્રસંગે અહીં આવવું અને મહાપ્રભુની આરાધના કરવી એ મારા માટે હંમેશા એક વિશિષ્ટ આધ્યાત્મિક અનુભવ છે. તેમજ તેમણે પ્રાર્થના કરી હતી કે, પ્રભૂ સૌ પર કૃપા બનાવી રાખે.
ગૃહમંત્રી અમિત શાહ પોતાના પ્રવાસનાી શરૂઆત સવારે પોતાના મતવિસ્તાર કલોક ગામેથી કરશે જ્યાં તે સ્વામિનારાયમ યૂનિવર્સિટીના એડમીશન બ્લોકનું લાકાર્પણ કરશે. ત્યાર બાદ રૂપાલ ગામ ખાતે વરદાયિની માતા ટ્રસ્ટ દ્વારા આયોજિત રજતુલા અને રૂપાલ ગામમા વિવિધ કામોનુ લોકાર્પણ કરશે. તેમજ વાસણા ગામમા તળાવના નવીનીકરણ અને બ્યુટિફિકેશન કામનું ખાતમુહૂર્ત કરશે.