વધુ એક પુલ ધરાસાઈ, પાલનપુરમાં નિર્માણાધિન ઓવરબ્રિજ અચાનક તુટ્યો
ભ્રષ્ટાચારમાં દિવસે દિવસે આગળ વધી રહેલી ગુજરાત સરકારના ભોગે વધુ એક વખત નિર્દોષ લોકોને ભોગવવાનો વારો આવ્યો છે. ગુજરાતમાં વધુ એક નિર્માણાધીન પુલ ધરાસાઈ થયો હોવાના અહેવાલ છે.
સમાચારો અનુસાર, પાલનપુર આરટીઓ સર્કલ નજીક નિર્માણાધિન ઓવરબ્રિજ અચાનક ધરાસાઈ થયો હતો. આ દુર્ઘટનમાં રીક્ષા ચાલક સહિત ત્રણ વ્યક્તિ કાટમાળમાં દટાયા હતા.

આઓ નિર્માણાધીન ફ્લાયઓવરનો કેટલોક ભાગ ધરાશાઈ થયો છે. આરટીઓ સર્કલ ખાતે બની રહેલા ફ્લાયઓવરના બે ગર્ડર અચાનક તૂટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હતી.
કેન્દ્ર સરકારે 123 કરોડના ખર્ચે થ્રી લેગ એલિવેટેડ રોટરી રેલવે ઓવરબ્રિજ મંજૂર કર્યો હતો અને પાલનપુરની એજન્સીને 90 કરોડના ખર્ચે બ્રીજ બનાવવાનું કામ અપાયુ છે. આ કામ 18 મહિનામાં પુરૂ કરવાનું છે.
દાતા તરફ 682 મીટર લાંબુ, આબુ રોડ તરફ 700 મીટર લાંબુ, અને પાલનપુર-અમદાવાદ હાઇવે તરફ 951 મીટર લાંબા ત્રણ લેગ બનાવાશે. ગુજરાતનું પ્રથમ પિલ્લર પર થ્રીલેગ એલિવેટેડ રોટરી ડિઝાઇનનું રેલવે ઓવરબ્રિજ સ્ટ્રક્ચર તૈયાર થશે.
જણાવી દઈએ કે, ગુજરાતમાં પુલ ધરાસાઈ થવાની આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ ઘણી ઘટના બની ચુકી છે અને તેમાં ઘણા નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. હાલમાં જ ગુજરાત સરકારે આ બાબતે કડક તાકીદ કરી હતી.












Click it and Unblock the Notifications
