For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આર્જેટીનાનું પ્રતિનિધીમંડળ આજે નરેન્દ્ર મોદીને મળશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

modi-walk
ગાંધીનગર, 15 એપ્રિલ: આર્જેટીના સરકારનું એક ઉચ્ચ સ્તરીય શિષ્ટમંડળ આજે ગાંધીનગરમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે અને અનેક ક્ષેત્રોમાં સહયોગના મુદ્દે તથા રોકાણની તકો પર ચર્ચા કરશે.

શિષ્ટમંડળનું નેતૃત્વ કરી રહેલા આર્જેટીનાના મેંડોજા પ્રાંતના ગર્વનર ડો. ફ્રાંસિસ્કોપેરેજે કહ્યું હતું કે 'અમે આજે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સાથે મુલાકાત દરમિયાન તેમની સાથે ઉચ્ચ શિક્ષણ, અનુસંધાન, રમત-ગમત જેવા અન્ય ક્ષેત્રોમાં ગુજરાત અને આર્જેટીના વચ્ચે ભાગીદારીની સંભાવના અંગે વાતચીત કરીશું. પ્રતિનિધિ મંડલે મહારાજ સયાજીરાવ વિશ્વવિદ્યાલયના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી.

આ દળ રાજ્યની રાજધાનીમાં સ્થિત ગુજરાત ઇન્ટરનેશનલ ફાયનાન્સ ટેકસિટીની પણ મુલાકાત કરી શકે છે. ગુજરાત સરકારે આર્જેટીનાના પ્રતિનિધિમંડળની યાત્રાનું આયોજન કર્યું છે અને તેનો સમન્વય મહારાજ સયાજીરાવ વિશ્વવિદ્યાલયનું આંતરરાષ્ટ્રીય મામલાઓનું કાર્યલય કરી રહ્યું છે.

English summary
A high-powered delegation from the Government of Argentina will meet Narendra Modi in Gandhinagar today to discuss issues of collaboration and investment opportunities in various fields.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X