ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂરી તાકાતથી લડશે AAP, 2 એપ્રિલે 2 રાજ્યના મુખ્યમંત્રી રોડ શો કરશે
ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂરી તાકાતથી લડશે AAP, 2 એપ્રિલે 2 રાજ્યના મુખ્યમંત્રી રોડ શો કરશે
દિલ્હી બાદ પંજાબમાં પણ આમ આદમી પાર્ટીને મળેલા જનતાના પ્રતિસાદ બાદ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ શાનદાર જીત હાંસલ કરી હતી. હવે પાર્ટી ગુજરાતમાં બમણા જોશ સાથે ચૂંટણી પ્રચાર કરવાની તૈયારીમાં છે. અમદાવાદમાં 2 એપ્રિલે કેજરીવાલ અને ભગવંત માનના રોડ શોનો પ્રસ્તાવ મૂકાયો છે. ત્યારે બે રાજ્યના મુખ્યમંત્રી રોડ શો દ્વારા જનતાની વચ્ચે આવશે.

પંજાબમાં કોંગ્રેસને સત્તાથી દૂર કરનાર આમ આદમી પાર્ટી હવે ભાજપના ગઢમાં ગાબડું પાડવાની તૈયારી કરી રહી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022)ને લઈ આમ આદમી પાર્ટી કમર કસી રહી છે. આ દિવસે આમ આદમી પાર્ટી પોતાની પૂરી તાકાત ઝોંકી દેવાની તૈયારીમાં છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અમદાવાદમાં 2 એપ્રિલે રોડ શો કરવા જઈ રહ્યા છે. જેમાં તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ રહેશે.
આમ આદમી પાર્ટીના સૂત્રોનું માનીએ તો પંજાબમાં સટીક રણનીતિ નક્કી કરવા પાછળનો રોલ સંદીપ પાઠકનો હતો. જેમણે ત્યાં સર્વે અને ઉમેદવારોની પસંદગીમાં મહત્વની ભૂમિકા નિભાવી. હવે પંજાબમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત બાદ સંદીપના ફોર્મ્યૂલાને આમ આદમી પાર્ટી માટે ફિટ માનવામાં આવી રહ્યા છે. એવામાં પાર્ટીના પ્રમુખ નેતા હવે પાઠક ભૂમિકાને નજરઅંદાજ કરવા નથી માંગતા. માનવામાં આવી રહ્યું છે કે આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી પણ આમ આદમી પાર્ટી પોતાની સફળતા માટે તેમની રણનીતિ પર ભરોસો કરશે. માનવામાં આવી રહ્યું છે કે ડિસેમ્બર મહિના સુધી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ થઈ શકે છે. જેને જોતાં રાજનૈતિક દળ સક્રિય થઈ ગયા છે. દિલ્હીના સીએમ કેજરીવાલના 2 દિવસીય ગુજરાત પ્રવાસની વાત કહેવામાં આવી રહી છે. પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ રાજ્યની મોટી હસ્તીઓની મુલાકાત લેશે.
આમ આદમી પાર્ટીએ આગામી ચૂંટણીને જોતાં પ્રચાર પ્રસારની પૂરી તૈયારીઓ કરી લીધી છે. પાર્ટીએ 9 રાજ્યો માટે નવા પદાધિકારીઓની નિયુક્તિ કરી. જેમાં એવાં બધાં જ રાજ્યો સામેલ છે જેમાં આ વર્ષે અથવા તો 2023માં વિધાનસભા ચૂંટણી થનાર છે. જ્યારે બીજી તરફ આમ આદમી પાર્ટી અન્ય રાજ્યોની આગામી વિધાનસભા ચૂંટણી પર નજર બનાવીને બેઠી છે. હિમાચલ પ્રદેશ અને છત્તીસગઢના આગામી વિધાનસભા ચૂંટણીને જોતાં દિલ્હીના બુરાડીથી ધારાસભ્ય સંજીવ ઝાને આમ આદમી પાર્ટીએ અનુસૂચિત જનજાતી બહુલ રાજ્યમાં પાર્ટીના રાજનૈતિક મામલાના પ્રભારી બનાવ્યા છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
