અરવિંદ કેજરીવાલની પરિવાર સાથે ગુજરાતમાં એન્ટ્રી
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે તેમના પરિવાર સાથે સોમનાથના દર્શન આવ્યા છે. જો કે કેજરીવાલ આને ધાર્મિક યાત્રા વધુ અને રાજકીય યાત્રા વધુ જાણવી રહ્યા છે પણ તેમ છતાં રાજકોટમાં તેમની એન્ટ્રી સાથે જ ગુજરાતનું રાજકારણ પણ ગરમ થઇ ગયું હતું. નોંધનીય છે કે તેમની સાથે કુમાર વિશ્વાસ અને દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનિષ સિસોદીયા પણ આવ્યા છે. જેના કારણે સુરક્ષાની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.
જો કે ગુજરાતમાં અરવિંદ કેજરીવાલના આવવાની ચર્ચા સાથે જ આપ ગુજરાતના કાર્યકરોમાં જ્યાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યાં જ ભાજપ પણ પોતાનો પક્ષ રાખતા કહ્યું છે કે તેમની આ યાત્રાને ગુજરાતના રાજકારણમાં કોઇ ફરક નથી પડવાનો. જો કે આજે સવારે રાજકોટ ખાતે એક જગ્યા ચા પીને પરિવાર સાથે ગુજરાતના પ્રસિદ્ધ મંદિર સોમનાથની મુલાકાત લેવા માટે કેજરીવાલ તેમના પરિવાર સાથે નીકળી ગયા હતા.