રાજકોટમાં કેજરીવાલના વાકબાણ; ભાજપ સરકારના બોલાવ્યા સપાટા
રાજકોટ આવેલા કેજરીવાલે ગુજરાત સરકાર પર આકરા વાકબાણ ચલાવતા કહ્યું હતું કે આ ઘટનામાં તંત્રના ઇશારે જ દલિતોને માર મારવામાં આવ્યો હતો. વહેલી સવારે રાજકોટ આવી પહોંચેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ દલિતકાંડ મુદ્દે રાજ્ય સરકારને ઘેરી હતી અને આનંદીબેન સરકારને દલિત વિરોધી ગણાવી આક્ષેપ કર્યો કે તંત્રના ઈશારે દલિતોની પીટાઈ થઈ હતી.
કેજરીવાલનો આક્ષેપ; દેખાડા માટે ધરપકડ

તેમણે આક્ષેપ મૂક્યો હતો કે પોલીસની હાજરીમાં દલિતોને માર મરાયો. આવી અનેક ઘટના ગુજરાતમાં બની છે. સાથે જ કેજરીવાલે સવાલ ઉઠાવ્યા કે આ કેસમાં પકડાયેલા 17 આરોપીઓની ફક્ત દેખાડા માટે તો ધરપકડ નથી કરવામાં આવીને? તેમણે જવાબદારને કડકમાં કડક સજા આપવાની વાત કરી છે જેથી કરીને ભવિષ્યમાં આવી ઘટના ન બને.
કેજરીવાલે આંદોલનની કરી હાકલ

કેજરીવાલે તમામ ધર્મોના લોકોને સાથે મળી આંદોલન કરવાની પણ હાંકલ કરી. અરવિંદ કેજરીવાલ સવારે સવા આઠ વાગ્યે રાજકોટ એરપોર્ટ પર પહોંચ્યા હતા, જ્યાં આપના કાર્યકરોએ તેમનું સ્વાગત કર્યું હતું. જે બાદ તેઓ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા અને અહીં તેમણે પીડિતોના ખબરઅંતર પૂછ્યા હતા તેમજ હોસ્પિટલમાં દાખલ ઇજાગ્રસ્ત દર્દીઓને પણ કેજરીવાલ મળ્યા હતા અને તેમની પીડા પણ સાંભળી હતી.
કેજરીવાલ ઉના જવા રવાના થયા

પીડિતોના પરિવારજનો સાથે સમય ગાળ્યા બાદ કેજરીવાલ ઉના જવા રવાના થયા છે. તેઓ ઉનાના સમઢિયાળા ગામે પીડિતો સાથે મુલાકાત કરીને પીડિતોની વ્યથા સાંભળશે. એટલું જ નહીં તે આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા કોન્સ્ટેબલના પરિવાર સાથે પણ મુલાકાત કરશે.
મૃત કોન્સ્ટેબલના પરિવાર સાથે મુલાકાત

નોંધનીય છે કે અરવિંદ કેજરીવાલ અમરેલી જઈને ત્યાં તોફાનમાં ફરજ દરમિયાન મૃત્યુ પામેલા કોન્સ્ટેબલના પરિજનો સાથે મુલાકાત પણ કરશે. આનંદીબેને મૃત કોન્સ્ટેબલના પરિવાર સાથે મુલાકાત નહતી કરી જે અંગે પાછળથી વિવાદ થયો હતો. ત્યારે અરવિંદ કેજરીવાલે તેની આ મુલાકાતમાં કોન્સ્ટેબલના પરિવારને પણ મળવાના છે.
-
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત -
Ganga Expressway: પ્રાદેશિક વિકાસને વેગ આપતો ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી -
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: આગામી 3 દિવસ હીટવેવની આગાહી, રાજકોટ-સુરેન્દ્રનગરમાં 'રેડ એલર્ટ' -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર












Click it and Unblock the Notifications
